SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૬૨ ] શ્રી દમયંતી ચરિત્ર : સ્કંધ ૪ થા. સગ તેરમે. એટલે નલે પણ કૂદીને પાતાના પાદ-પ્રહારથી તેના પૂછડાના મૂળ ભાગમાં ખળપૂર્વક પ્રહાર કર્યાં. તેવામાં અચાનક હસ્તીવડે પેાતાની સુઢથી ઊંચે આકાશમાં ઉછાળાયેલા નલે તેના મસ્તકપ્રદેશ પર પડીને પેાતાના હસ્તથી ચારે બાજુ પ્રહાર કરવા માંડ્યો, એટલે સુકાઈ ગયેલ સ‘પૂર્ણ મદજળના બિંદુઓવાળા તેમજ અતિ ભય-વ્યાકુળ હસ્તી અચાનક જડ જેવા બની ગયા અર્થાત્ શાંત થઇ ગયા. ત્યારે તથાપ્રકારના શાન્ત બની ગયેલ, હસ્તી પર બેસીને, મહાવતથી અપાયેલ અકુશવાળા નલ, તે હસ્તીને પ્રસન્ન કરીને તેને ગજશાળા તરફ લઇ ગયા. સર્પના ડંખથી રૂપ તેમજ આકૃતિના ફેરફારથી કુખડારૂપે બનવા છતાં નલરાજાનું શૂરવીરપણું નાશ પામ્યું ન હતું, કેમકે સુખડના(ચંદનના) ભૂકા( ચૂણુ) કર. વામાં આવે તાપણ તેની સુવાસ ચાલી જતી નથી. ઊંચે ગેાખમાં બેઠેલા ઋતુપણું રાજાએ, પગલે પગલે નાગરિક લેાકેાથી પ્રેમપૂર્વક પૂજાતા, સ્તુતિપાઠકેાથી ગજશિક્ષાની કુશળતાનું વર્ણન કરાતા અને રાજવીની માફ્ક ક્રીડાપૂર્વક ગજશાળામાં દાખલ થતાં નલને જોયા. ખાદ વેગપૂર્ણાંક વારવાર આવતાં અને માત્ર એકચિત્તવાળા પ્રતિહારીએ, તે હસ્તીની ડાકમાં બંધન નાંખીને, હસ્તી પર બેઠેલા તે નલરાજાને, રાજાની આજ્ઞાથી તે નલના દન કરવાની ઇચ્છાથી જલ્દી રાજસભામાં લઇ ગયા. “તું કાણુ છે? કયાંથી આવ્યા ? ગજરાજના મદને દૂર કરનાર તારી આવી અદ્ભુત કુશળતા ક્યાંથી ? તારી આકૃતિ આવી કેમ ? ” આ પ્રમાણે રાજાએ નલને મૃદુપણાથી પૂછવાને લીધે કુબડાએ પેાતાની સમસ્ત હકીકત જણાવી કે“ જગતમાં પ્રસિદ્ધિ પામેલા, વીરસેન રાજવીના પુત્ર, સત્ય નૃતવાળા, નિષધા નગરીના સ્વામી નલરાજા છે; જે જુગારમાં જીતાવાને કારણે, જેણે પ્રથમથી જ તેનું રાજ્ય લઈ લીધું છે તેવા લઘુ મધુ કૂબરથી દૂર હાંકી કઢાયા છે અર્થાત્ દેશવટો અપાચેલ છે. હું તેના સારથી છું. મારા સ્થાનથી ભ્રષ્ટ થવાને કારણે પૃથ્વીપીઠ પર પર્યટન કરતા કરતા આ તમારી રાજધાનીમાં આવી ચઢયા છુ. પૂર્વે તે નલરાજાના સંસર્ગ ને કારણે તેમજ આજે તમારા શીઘ્ર દશન થવાથી મારા શ્રમ સફળ થયા છે. "" આ પ્રમાણેની કુખડાની વાણીથી પેાતાના પ્રિયમિત્ર નલની દુ:ખદ ઠુકીકત સાંભળીને તેણે ત્રણ દિવસ સુધી ગીત, નૃત્ય અને વાજિંત્ર બંધ કરાવ્યા અને પેતે પણ અત્યંત દુ:ખી બની ગયા. પછી ‘આ નલરાજાના સેવક છે. ' એમ વિચારીને કુબડાને બહુમાન આપતાં ઋતુપર્ણ રાજાએ તેને પાંચસેા ગામડા આપીને પોતાના મિત્ર બનાવ્યેા. સૂર્યપાક રસવતી( રસેાઇ ) વિગેરે રાજકુલને ઉચિત કળાએદ્વારા ઋતુપણું રાજવીના મનને હમેશાં વિસ્મય પમાડતા તેમજ નિરંતર વિવિધ પ્રકારનાં ભેટાંને સ્વીકારતા નલ, કુબ્જ રૂપે હાવા છતાં, રાજાની માફક રહેવા લાગ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy