SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ નળે દમયંતીને કરેલ ત્યાગ. [ ૧૫૫] પિતૃગૃહ-પિયર થી ભ્રષ્ટ બનવાથી રાંકડી (નિરાધાર) બનેલ દમયંતીનું તમારે રક્ષણ કરવું. હું પણ તેણીના રોષને દૂર કરનાર, નેહમય એ કંઈક સંદેશો આપે જેથી પોતાના મનમાં કંઈક પણ પુન: મળવાની આશાને ધારણ કરતી દમયંતી કોઈપણ પ્રકારે પિતાના જીવિતને ત્યાગ ન કરે.” આ પ્રમાણે વિચારીને ખેદ નહીં પામતા નલરાજાએ, તેણીના વારૂપી પત્ર ઉપર (વસ્ત્રને છેડે), ગાઢ અંધકાર હોવા છતાં સ્પષ્ટ લખી શક્વાની શક્તિને લીધે, પિતાની છેદેલી જંઘા( સાથળ)માંથી નીકળતા તાજા લેહીથી ખરડાયેલ મુખવાળી બરછીની અણુથી નીચે પ્રમાણે લખ્યું કે-“આવી પરિસ્થિતિમાં સાસરાને ઘરે જતાં મને શરમ આવે છે તેમજ રસ્તામાં તને પડતાં પરિશ્રમને જેવાને હું શક્તિમાન નથી, તેથી તે પ્રિયે ! હું અન્યત્ર જઈ રહ્યો છું. આ વિષયમાં બીજું કંઈ પણ કારણ નથી. વડલાની નજીકમાં થઈને જે રસ્તે જાય છે તે કુંડિનપુર તરફ જાય છે અને કેશુડાના ઝાડની પાછળનો રસ્તો નિષધા નગરી તરફ જાય છે, તો મારા વિરહને સમય વિતાવતી તું તારી ઈચ્છામાં આવે તે દીયર કૂબરને ઘરે રહેજે અથવા તે તારા પિતાને ઘરે જજે. હે ભીરુ ! જે હું શત્રુસમૂહરૂપી સાગરમાં ડૂબી ન જવું અથવા તો વિશિષ્ટ પ્રકારના વ્યાધિના ઉપદ્રવથી હું મૃત્યુ ન પામું તે હે સુમુખી ! ફરીથી ધન તેમજ રાજયને પ્રાપ્ત કરનારા મને, તારા મુખના દર્શનથી જળપાન કરવા જેવી તૃપ્તિ (શાંતિ) થશે.” બાદ દમયંતીના ભાલપ્રદેશમાં રહેલ તિલકની કાંતિને, પિતાની ઔષધીની પર્યાવડે દરેક દિશાઓમાં અત્યન્ત છિન્નભિન્ન કરતી તે સંપૂર્ણ રાત્રિને વિષે, પિતાની સાથે કોઈપણ પ્રકારે લઈ જવાની ઇચ્છાથી ચાર જેમ નિધાનને લાંબા સમય સુધી તાકીને જોઈ રહે તેમ દૂર રહેલા ને દુઃખી બનેલા નલ રાજવી દમયંતીને તાકીને નીરખતા એવા ત્યાં જ રહ્યા. પછી ગાઢ નિદ્રામાં સૂતેલી દમયંતીને પોતાની નજરથી દૂર કરીને (ત્યજી દઈને), દુઃખના આવેગને લીધે ચીરાતા હૃદય પર પોતાના હસ્તને સ્થાપતે તેમજ “હે તાત! હે તાત!એમ ઉચ્ચ સ્વરે બૂમ પાડતો અને વ્યાકુળ બનેલ નલ, ચાલવામાં અત્યંત ભયંકર એવા વનમાં એકદમ એકલો દાખલ થયો. “શારીરિક રોગો તને પીડા ન આપે, દુષ્ટ પ્રાણીઓથી તને દુ:ખ ન થાઓ, દુર્જન પુરુષોથી વિદન ન થાઓ, કોઈપણ સ્થળે રાક્ષસો તને ભય ન પમાડે, હે દમયંતી! તું નિશ્ચિત બનીને તારા ભાઈના ઘરે સુખપૂર્વક જજે” આ પ્રમાણે બેલ અને દશે દિશાઓમાં જેતે નલ જલદી ચાલવા લાગે. સજનના માર્ગની વિકૃતિ કરનાર ધૃતરૂપી કુમાગે તેમજ સુંદર ચરણને દુખ દેનાર એવા કુમાળે એમ બંને પ્રકારે વિપરીત રસ્તે ચાલનાર નલની સન્મુખ ભયંકર મેઘની જેમ સ્વેચ્છાપૂર્વક અવાજ-ઇવનિ કરતાં વાયરાએ જલદી વાવા લાગ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy