SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવના થઇ. શરીર તા બહુ જ કૃશ થયું હતું પરંતુ આત્મબળના પિરણામે માસક્ષમણની હિંમત કરી અને પ્રથમ પંદર ઉપવાસના હાથ જોડ્યા. શ્રી સિદ્ધગિરિમાં શેઠ નરશી નાથાની ધર્મશાળામાં આરાધનાપૂર્વક તપશ્ચર્યાં કરતા હતા. દશેક ઉપવાસ બાદ શરીર વધારે શિથિલ થવા માંડયું છતાં પંદર ઉપવાસ બાદ પારણું નહિં કરતાં છ ઉપવાસનાં ફરી હાથ જોડ્યા. એકવીસ પુરા થતાં તેા શારીરિક હાલત વધારે મંદ થઇ. સ્વજન બંધુઓએ ઉપવાસ વધારે નહિ આવવા વિન ંતિ કરી પરંતુ પ્રખર આત્મબળનાં પ્રભાવે એક એક ઉપવાસનુ પચ્ચખાણ કરતા ગયા. કોઇપણ હિસાબે માસક્ષમણુ સિદ્ધક્ષેત્રમાં પૂફ થાય તો ઠીક એ ભાવનાએ આગળ વધ્યા. દેહનું મમત્વ ફગાવી દીધુ. છેવટે ભવિતવ્યતાનાં યેાગે છવીસ ઉપવાસ પૂર્ણ થતાં ભાદરવા સુદી એકમના સવારનાં પૂજ્યપાદ આચાર્ય મહારાજ, અન્ય સાધુગણ અને સેકડો શ્રાવિકા અને આપ્તજનની હાજરીમાં નમસ્કાર મહામંત્રની ઉદ્ઘોષણાપૂર્વક સવારનાં સાડા સાતવાગે દેહવિલય થયા અને પોતાનું જીવન ધન્ય કરી ગયા. છેલ્લા દિવસોમાં પાણીની તૃષા વધારે હતી છતાં પાણહારનું પચ્ચખાણ કર્યાં બાદ ગમે તેટલી તૃષા હોય તો પણ પરિષહ સહન કરીને બીજે દહાડે પ્રભુના દર્શન કર્યાં બાદ જ પાણી વાપરતા. પ્રબુદ્ધ જૈનના અધિપતિએ પણ તે વખતે સૂરજમ્હેનની પૂર્ણમાસખમણુ કરવાની ભાવના, ટેકદૃઢતા અને પ્રતિજ્ઞા પાલનની અડગતા માટે એક લેખ લખી ઘણી પ્રશંસા કરી છે. પૂજ્યપાદ આચાર્ય મહારાજે વ્યાખ્યાનમાં એક આદર્શ જીવન તરીકે નોંધ લીધી. અવસાન સમયે તેમની નવ્વાણું યાત્રા કરવાની ભાવના અધૂરી રહી. બિછાના પાસે તેમનાં દાનવીર ધનિષ્ઠ બંધુ મણિલાલ વનમાળીદાસ નવકાર મંત્રના ઉચ્ચાર કરતા બેઠા હતા. ગુણવાન મ્હેન જેવી મ્હેન ગુમાવતા હૈયુ હાથ ન રહ્યું પરંતુ છેવટે પાણી મૂકીને અભિગૃહ કર્યાં કે સૂરજમ્હેનનાં નિમિત્તે નવ્વાણું કર્યા પછી જ પાલીતાણા છોડવું. પિરણામે શ્રીયુત્ મણિલાલભાઇએ તેમનાં ગૃહિણી સૌભાગ્યન્હેન અને તેમનાં ભાભી રૂપાળીબ્ડેન સહિત નવ્વાણું યાત્રા પૂર્ણ કરી. એક પ્રસંગની યાદ દેવી જરૂરી છે કે-શાંતાક્રુઝમાં જિનેશ્વર ભગવતનું વ્નહેર મંદિરનું કાર્યાં ઘણા વરસોથી અટકયુ હતું. પૂજ્યપાદ શ્રી કનકવિજયજી મહારાજનાં ઉપદેશથી સૂરજમ્હેને પોતાના ચાલુ વરસીતપમાં જ્યાં સુધી ગામમાં મંદિર ન થાય ત્યાંસુધી ઘી વિગયનો સર્વદા ત્યાગ કર્યાં. પરિપાકરૂપે અંતરાયના ઉચ્છેદ થયા અને વરસીતપનુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy