SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૦૬ ] શ્રી દમયંતી ચરિત્ર ઃ અંધ ૨ જે. સગ સાતમે. તેવામાં ભૂત, વર્તમાન અને ભવિષ્ય કાળની સઘળી બીનાઓને જાણનારી તેમજ ત્રણ લેકને વિષે દીપિકા(પ્રકાશ) તુલ્ય સરસ્વતી દેવી પિતે જ બેલ્યા કે-“હે દમયંતી ! ઘણું આનંદની વાત છે કે-આજે તારા માટે સુંદર પ્રભાત થયું છે. દેના સ્વામી ઈંદ્ર પિતે નળરૂપે આવેલ છે, જેણે હે સુંદર મુખવાળી ! હતમાં વજી ધારણ કરીને ગવીઝ પર્વતના સમૂહને પાંખ રહિત બનાવેલ છે. વળી સમરાંગણને વિષે વીરસેન રાજાને ખુશ કરનાર નલને તું વરુણરૂપે સમજ, કે જે વરુણ પાશવાળે, કેમળ હસ્તવાળે તેમજ પશ્ચિમ દિશાનો સ્વામી છે, તે તારે પ્રિય બને. અવિનયી જનને શિક્ષા કરનાર તેમજ સ્મરણશક્તિમાં અતિ દક્ષ નલને તે યમરાજ (ધર્મરાજ) તરીકે પીછાણ કે જે નિરંતર ઉદયશીલ અને દુરાચાર રહિત છે, તેને તું તારા સ્વામી તરીકે સ્વીકાર. અસહા તેજને ધારણ કરતા તેમજ વિશ્વને વિષે સમસ્ત જનતાને પૂજ્ય બનેલ તથા વિકસિત કમળ જેવા મુખવાળા નલને તું અનિ તરીકે જાણ, જે ક્રીડા માત્રમાં દરેક દિશાઓનું રક્ષણ કરી રહેલ છે.” આ પ્રમાણે સરસ્વતીએ ચતુરાઈપૂર્વક કહેલા ઇંદ્રાદિ લોકપાલના સૂચનપૂર્વક નલરાજાના વખાણને અંતઃકરણમાં અવધારીને, જેમ કપૂરમિશ્રિત સુખડના રસથી પ્રાણ જડ બની જાય તેમ દમયંતી જલદી મૂઢ બની ગઈ, જે પોતે (શારદાદેવી) સ્પષ્ટ વાણુ બેલે તે દેવને ભય રહે અને જે ગુપ્ત રીતે કહે તે દમયંતીને છેતરી ગણાય તેથી તેણે ફરીથી પણ લોકપાલ સહિત નલરાજાની સ્તુતિ કરવાને માટે મિશ્રવાણ પૂર્વક કહેવું શરૂ કર્યું કે-“હે કમળ જેવા નેત્રવાળી દમયંતી ! શું તું આ નલને જાણી શકતી નથી કે જેની સરખે બીજે કઈ રાજા આ પૃથ્વી પીઠ પર નથી, કારણ કે ઇંદ્ર, વરુણ, અગ્નિ અને યમ–આ ચારે દે શરીરવડે તેનું અનુકરણ કરી રહ્યા છે અર્થાત્ તે ચારે કપાલાએ નલનું રૂપ ધારણ કરેલ છે.-આ પ્રમાણે સરસ્વતીએ કહેવાથી તેના કથન પ્રત્યે પોતાના કર્ણ તથા નેત્રને સંપૂર્ણપણે સ્થાપન કરતી દમયંતી તે પાંચે રૂપમાં એક રેમ માત્ર તફાવત પ્રાપ્ત કરી શકી નહીં અને તે પાંચ રૂપિમાં કોણ કપાલે છે અને કોણ નલ છે તે તે સમજી શકી નહીં. હે હરણના જેવા નેત્રવાળી ! સુંદર ધર્મને જાણવાવાળા અને નિર્મળ લોકપાલી રાજ ને શા માટે વરતી નથી ? જે તે તેને નલને ) સ્વામી તરીકે સ્વીકારીશ નહીં, તે હે સુંદરી ! આ પૃથ્વી પર તારો સ્વામી થવાને બીજે કે લાયક છે ? હે સુંદરી ! તું શું વિચાર કરે છે ? શા માટે વિલંબ કરે છે ? લજજા અને જડતાને ત્યાગ કરી, સ્વામીને સ્વીકારી લે જેથી કામદેવ તેમજ સજજન પુરુષે પ્રસન્ન થાય. છે. આ પ્રમાણેના અનેક અર્થવાળા વચનથી દમયંતી વધારે મૂંઝાણું કેમકે અધિક પ્રકાશપણાને લીધે વીજળીનું તેજ બંને આંખને બંધ કરી દે છે. ઘડીકમાં તેણીએ નલને લોકપાલ તરીકે માન્ય અને લોકપાલને નલ તરીકે જાણ્યા. સરસ્વતી દેવીના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy