SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - [ ૧૦૪ ] શ્રી દમયંતી ચરિત્ર : સ્કંધ ૩ જો. સર્ગ છો. હરનાર એવા આ ઋતુપર્ણ રાજાને છોડીને કઈ વ્યક્તિને વરવાને તું ઈરછે છે?” ત્યારે આ પ્રમાણે બોલતી સરસ્વતી દેવીને, દમયંતીએ, કળીના મીલનની માફક પિતાના બંને હસ્તને ક્રીડાપૂર્વક જોડતી, મૌન રહેવા માટે વિજ્ઞપ્તિ કરી પછી પિતાની સમક્ષ રહેલા કેટલાએક રાજવીઓની વેષભૂષા-સજિજત આકૃતિ જેવાથી, તેના પ્રત્યે ઉદાસીન ભાવને પ્રગટ કરતી પતે તેમજ દાસી તે સ્થળથી શીઘ્ર આગળ ચાલ્યા. બાદ શારદાદેવીએ તેણીને જણાવ્યું કે—-“હે કુશાંગી! આ અંગદેશનો સ્વામી પુરપકડિની નગરીમાં રહે છે. રણસં. ગ્રામને વિષે, હસ્તીઓના ગંડસ્થળને ભેદતું અને મોતીઓને વેરતું તેમજ હસ્તરૂપી સરોવરને અલંકૃત કરતું આ રાજાનું ખર્ક મેઘની માફક શોભી રહેલ છે.” તેવામાં દમયંતીના ઈશારાથી સૂચન કરાયેલી દાસીએ, આ પ્રમાણે સ્તુતિ કરતી સરસ્વતી દેવીને અટકાવી. બાદ બીજાને હર્ષ પમાડતી શારદાદેવીએ ફરીથી પણ વિચક્ષણ દમયંતીને આ પ્રમાણે જણાવ્યું કે “મત્સર વિનાનો અને ગુણવાન તક્ષશિલાના આ રાજાને તું ચાહ. પુરુષને વિષે શ્રેષ્ઠ આ રાજા શાર્ગ ધનુષની દોરીને પોતાના કર્ણ પર્યન્ત ખેંચે છે તેમજ વિદ્વાન પુરુષોના ગુણને પણ પિતાના કર્ણમાં પ્રવેશ કરાવે છે, અથોત તે શક્તિશાળી છે અને સાથોસાથ ગુણવાન પુરુષોની કદર કરનાર પણ છે. ખરેખર અમને આશ્ચર્યકારક હકીકત એ છે કે-એક ક્રિયા કરતી વખતે (ધનુષ ખેંચતી વખતે ) તે પોતાની મુષ્ટિને બંધ કરે છે જ્યારે બીજી ક્રિયામાં પિતાની મુષ્ટિ ઉઘાડી મૂકે છે એટલે કે વિદ્વાનોને વિપુલ દાન આપે છે. વળી આ રાજા અમને (બાણને ) પર્વત પર કે વા પર ફેંકતે નથી તેથી અમને અધિક લજજા ઉત્પન્ન થાય છે એમ જાણે વિચારીને જ હોય તેમ દુશ્મનોને નાશ કરનાર તે રાજાના બાણે, રણસંગ્રામને વિષે, લાકડીરૂપે બનીને પૃથ્વી પીઠ પર જ નાશ પામે છે અર્થાત પડી જાય છે. વળી આ રાજાને પંડિત પુરુષે બૃહસ્પતિ તરીકે, યાચક જન કલ્પવૃક્ષ તરીકે, સ્ત્રીઓ કામદેવ રૂપે, શત્રુસમૂહ વજા પાત સરખે અને જનસમૂહ તેમજ યેગી પુરુષે રક્ષક તરીકે જાણે છે –આ પ્રમાણે રાજા એક હેવા જતાં હંમેશાં અનેકરૂપે યાદ કરાય છે. જ્યારે મેઘ વૃષ્ટિ કરે છે ત્યારે તેની જલધારાથી કઈક સ્થળે આંગણું તો કોઈક સ્થળે ખુલે પ્રદેશ ઢંકાઈ જાય છે, પરંતુ વિશ્વને જય કરનાર આ રાજાના ખર્ષથી બંને બાજુની ધારામાં, પર્વતના શિખર જેવા શત્રુઓના ઊંચા આવાસો ડૂબી જાય છે અર્થાત્ આ રાજા પાસે કઈ પણ શત્રુ ટકી શકતું નથી. હે ગોરી ! દાની, વિનયી, વિવેકી, માની, પ્રણયી, યશસ્વી અને પૃથ્વીના ચંદ્ર સરખા આ ગુર્જર દેશના સ્વામી સાથે તે ગમન કર અર્થાત્ તેને વર. વળી છે સુંદર મુખવાળી ! મનહર ગુણરૂપી લતાના પલવ(પર્ણ ) સમાન, લાંબા અને પહોળા નેત્રવાળા તેમજ ઉછળતા અસાધારણ શોર્ય રસના કાસાર ( સરોવર ) સમાન આ અવંતી દેશને રાજા ક્ષણ માત્રમાં જલ્દી દુઃખને નાશ કરે છે. કામ-વ્યાસ, કઈક વિકાસ પામેલા, સોંદર્યશાલી, ક્રીડાથી નૃત્ય કરતે, શરમયુક્ત, ભાદ્રકવાળા, કર્ણના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy