SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ શારદાદેવીએ દેવોનું કરેલ વર્ણન. [ ૧૦૩] જ હોય છે. આ પ્રમાણે તેઓનું કીર્તન કરાયા બાદ ધૃષ્ટતાથી તેઓ તરફ દષ્ટિ ફેંકતી દમયંતીને સરસ્વતી દેવીએ પુનઃ કહ્યું કે–“હે કમલના જેવા મુખવાળી! તને શું ખબર છે કે--હજાર મુખવાળા નાગરાજ વાસુકી અહીં બિરાજે છે? તને બોલાવવાને નાગેંદ્ર સિવાય કેણ સમર્થ હોય? કેમકે તેમના મુખમાં બે જીમ રહેલી છે. વળી તેના ભૂવનને વિષે પ્રકાશિત દેહકાંતિવાળા આ તક્ષક, કર્કોટક અને શંખચૂડ વિગેરે સુભટો છે. હે બાલા ! તારા કપાળને વિષે રહેલા તિલકની માફક જેમની ફણાના મણિઓ પ્રકાશસમૂહથી દિવસે પણ દિશાસમૂહને પ્રકાશિત કરે છે. દેવને સમૂહ તો નંદન વનમાં જ ક્રીડા કરનારે હોય છે જ્યારે આ નાગેઢો ત્રણે ભૂવનને વિષે વિલાસ કરનારા હોય છે. વળી વૈતાઢય પર્વત પર રહેનાર, ખેદ રહિત આ શ્રેષ્ઠ વિદ્યાધરો એકત્ર થયેલા છે. નમિ અને વિનમિના કુળમાં જન્મેલા, જુદા જુદા નગરોમાં રહેનારા અને ઇંદ્રની ઋદ્ધિની પણ સ્પધો કરનારા આ ગાંધાર અને રોહિણેય જાતિના વિદ્યાધરો છે. જે ગાંધીને વિષે તને પ્રીતિ નથી, સર્ષો પ્રત્યે તને રાગ-પ્રેમ નથી, લાખોગમે યક્ષો પરત્વે તને સનેહ નથી અને અસુરોને વિષે તારું મન નથી તો પછી સામાન્ય, માંસ ખાનાર પિશાચ અને ભૂત વિગેરે પ્રકારના વ્યક્તોની તો વાત જ શી કરવી? હે દમયંતી! મને જણાય છે કે-તને દેવોની દિવ્ય સુષ્ટિ પસંદ નથી. વાસ્તવિક જ્ઞાનવાળા, ભુજબળવાળા અને ક્રીડાસક્ત દેવસમૂહથી, ચંદ્ર જેવા મુખવાળી હે દમયંતી! જે તારું ચિત્ત હરણ ન કરાયું હોય તે હવે આ રાજવી–સમૂહ પ્રત્યે નજ૨ કર. આ પ્રમાણે તેવા પ્રકારનું પ્રલોભન આપવામાં ચતુર સરસ્વતી દેવીથી સૂચના કરાયેલી દમયંતી, જેમ ગંગા દેવલોકથી પૃથ્વી પટ આવે તેમ, રાજવીઓની સભામાં વેગપૂર્વક આવી પહોંચી. SEXKXKXKkX છે. સર્ગ છઠ્ઠો છે NER [ શારદા દેવીએ કરેલ સ્વયંવર મંડપના રાજવીઓનું વર્ણન] week ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ છે પછી શારદા દેવીએ ત્રાંસી નજરે જોતી, પ્રસન્ન ચિત્તવાળી અને કળશની સ્પર્ધા શ્કરે તેવા સ્તનવાળી દમયંતીને કહ્યું કે “હે ચંદ્ર જેવા મુખવાળી! સૂર્યવંશના ભૂષણરૂપ, અયોધ્યા નગરીના રાજા શ્રીમાન હતુપર્ણ છે. હે કમળ જેવા નેત્રવાળી ! રાજાઓની લક્ષમીના આશ્રયભૂત અને જનતાના શોકરૂપી મલને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy