SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ દર સર્ગ તેરમો. [નળનું લેપાલને વરવા સંબંધીનું પુન: કથન: દમયંતીએ કેશિની મારફત આપેલે ચતુરાઇપૂર્ણ પ્રત્યુત્તર] D૦૦૯મહ૦૦૦૦૦૦૦૦૦૦ આ પ્રમાણે દમયંતીના ભક્તિયુક્ત વચનો સાંભળીને દેના કાર્યની સિદ્ધિ Ú બ૦૦ ઉમાટે નલે ફરીથી તેને ઉત્સાહિત કરવા પ્રયાસ કર્યો. દમયંતીની ચતુરાઈથી આશ્ચર્ય પામેલા બૃહપતિ સરખા મલે સુંદર વાણી બોલતા તેને હાસ્યપૂર્વક કહ્યું કે-“દેવોના દૂત તરીકે આવેલા મને તારે વિનયપૂર્વક પ્રતિષેધ કરવો–મનાઈ કરવી તે હે દમયંતી ! તારા માટે ઉચિત નથી, કારણ કે તે લેકપાલે તારા પ્રત્યે રાગાધીન બન્યા છે, જ્યારે તું તેથી ઉદાસીન જણાય છે-આવી અદભુત બીના મેં કદી જોઈ નથી તેમજ સાંભળી પણ નથી. મનુષ્યણું (માનવી સ્ત્રી) દેવેને ન ઈછે-એ પ્રમાણેનું વચન તો આજે મેં તારા પાસેથી જ સાંભળ્યું. ખરેખર આશ્ચર્યની વાત છે કે-નિર્ધન પુરુષ પ્રાપ્ત થયેલ નિધિ(ધનના ભંડારીને સ્વીકારવા ઈચ્છતો નથી. દેવોને સ્વામી તરીકે સ્વીકારતી એવી તારા કુલમાં કલંક કેમ હોઈ શકે? મેરુપર્વતના શિખર પર ચઢેલ વ્યક્તિઓને “નીચે રહેલ છે” તેમ શું કહી શકાય ? હે દમયંતી ! તારા પ્રભાવથી અકુલીન માણસ પણ કુલીન બની જાય છે. રાજ્યાભિષેક કરાયેલ માણસ મલિન (તુચ્છ કુલવાળો) હોય તો પણ શુદ્ધ-નિર્મળ બને છે. કોઈક વખત ઉત્તમ પુરુષનો પ્રેમ સામાન્ય વ્યક્તિ પ્રત્યે થાય છે, કેમકે ચંદ્ર પ્રેમને લીધે પિતાના મેળામાં મૃગને સ્થાન આપ્યું છે, તે તું જે, તું તે કન્યકા છો અને કોઈ પણ સામાન્ય વ્યકિતને વરવાની છે તે લેપાલે પોતે જ તને ઈ છે કે તે શું તારા માટે ઓછું છે? પિતાના સર્વસ્વથી તેમજ દેહથી પણ દેવની પૂજા કરવી જોઈએ, તે દેવોની માગણીને પ્રતીકાર કરવો તે શું તને વ્યાજબી લાગે છે? તું મારું વચન સ્વીકાર અને દેના દૂત તરીકે તારી પાસે આવેલ મને કૃતકૃત્ય બનાવ; કારણ કે આ પ્રમાણે કરવાથી વિશ્વવને વિષે તારી દેવભક્તિ અને યશ-કીર્તિ ચિરસ્થાયી બનશે. મેઘના સ્વામી, ઐરાવણ હસ્તીના વાહનવાળા અને સ્વર્ગમાં રહેનાર શ્રેષ્ઠ ઈંદ્રને વરવાનું શું તારા ચિત્તમાં પસંદ પડે છે? મારી તે સલાહ છે કે–તું ઈંદ્રને પરણ. ઈંદ્ર સિવાય અન્ય કોણ તને જેવાને સમર્થ હોઈ શકે? સમસ્ત વિશ્વને પવિત્ર કરનાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy