SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ દમયંતીએ નળને આપેલ જવાબ. [ ૮૧ ] બુદ્ધિ, ઉમર ને તેજ કયાં? રત્ન અને પત્થરની માફક તેઓ બંનેને સંયોગ સંભવી શકતો નથી. દેવેનું આતિથ્ય મનુષ્ય કેવી રીતે કરી શકે ? કારણ કે ગામડી જન હસ્તી પર કેવી રીતે આરોહણ કરી શકે? બોરસલીના પુષ્પની માળા હાજર હોવા છતાં કાંટાવાળા પુષની માળાની શોભા શી હોઈ શકે ? તેવી રીતે દેવાંગનાઓ પાસે માનવી સ્ત્રી રાંકડી દેખાય છે. દેને જે રુચિકર હોય તે ભલે તેઓ કહેવરાવે, સ્વામીના કાર્યને નેકર રોકી શકતો નથી. નોકરેએ પ્રેમપૂર્વક સ્વામીનું કાર્ય કરવું જોઈએ. શું સિંહ સાથે ભેટવાને મૃગનો અધિકાર હોઈ શકે? પ્રતિમાકારે રહેલા જે પૂજ્ય જોકપાલને હું હમેશ પૂછું છું તે મારા જ છે, તે આ વિષયમાં આથી વધારે શું ? ખરેખર દેવના ચરિત્રને પાર પામી શકાતો નથી. મારા વડીલ જનાએ મને સ્વયંવર આપે છે, મારી કુળપરંપરામાં સ્વયંવર વિધિ અનુસરાતો આવ્યું છે. આ બાજુ મારા વડીલ જનેના વિનયની રક્ષા કરવાની છે, બીજી બાજુ દેવોની આવા પ્રકારની પ્રાર્થના છે તે હવે તમે જ હાલમાં મને આ વિષયમાં સલાહ આપે. હું બાલિકા દેવોને જવાબ આપવાને સમર્થ નથી. મારા પ્રત્યે કંઈક દાક્ષિણ્ય લાવીને તમે મને પૂજવા લાયક લેકપાલને તેઓની દુષ્ટ પૃહાથી અટકાવો. હે વીર ! તારી હાજરીમાં સજજન પુરુષોનો લોકાપવાદ(નિંદા) ન થાઓ ! જગતને વિષે સજજન પુરુષોને આ પ્રકારનો શાશ્વત ધર્મ છે કે–તેઓએ બીજાને સદ્દબુદ્ધિ આપવી, બંનેને આંતરાનું રક્ષણ કરવું, મૂર્ખ માણસની ભૂલોને સહન કરવી, મનમાં કીતિને સ્થાન આપવું તેમજ સર્વત્ર નેહભાવ દર્શાવવો. પછી આ વિષયમાં નળ જે કહે-સલાહ આપે તે માટે સ્વીકાર્ય છે એમ મનમાં નિર્ણય કરીને અને અંતઃકરણમાં તેને જ દૂત તરીકે જાણુને બાલકાળથી નિર્મળ શીલવાળી, નીલકમળના જેવી નેત્રવાળી દમયંતી બોલતી બંધ થઈ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy