SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ અગિયારમો. દિત થઇ આવેલા નળે લેપાલને વરવા કરેલું તેમનું વર્ણન ] p = આ નળે દમયંતીના વચનને લલિત-મહર, નેહાદ્ધ, વિનયી, રસિક, કોમળ અને --~-~- તેના દેહને અનુરૂપ જાણ્યા. દમયંતીની વાણી આગળ મધ, મધ, દૂધ, અમૃત, વાંસળી અને વીણા-એ સર્વ તુચ્છ માત્ર છે-નિષ્ફળ છે. સાગરના કલેલેથી ખેંચાયા છતાં પણ જેમ વેલંધર પર્વત ડેલાયમાન થતું નથી તેમ દમયંતીના તથા પ્રકારના સ્તુતિ વચનથી નેહાદ્ધ બનવા છતાં પણ નળ ચલિત ન થયે. ઇંદ્રના વચનથી બંધાયેલ નળ પ્રિયા વડે કરાયેલ સત્કારને પ્રાપ્ત કરીને, જેમ સૂર્ય ઉદયાચળ પર બિરાજે તેમ સુવર્ણના આસન પર બેઠો. બાદ અંત:કરણમાં પ્રતિજ્ઞાનું સ્મરણ કરતો ધર્મવીર નળ કામદેવના આવેગને દૂર કરીને દમયંતી પ્રત્યે બે કે-“હે સુંદરી ! વૃથા પરિશ્રમ લેવાથી સર્યું. તે સ્વસ્થ બન. હે અતિથિવત્સલ! તું આ કાર્યથી વિરમ કારણ કે અમારે સત્કાર તે થઈ ચૂકી છે. હે કમલ મુખવાળી! જે અમારું દૂતપણાનું કાર્ય છે તેને સફળ કરશે તે તે જ અમારા માટે મહાન આતિથ્ય ગણાશે. હે મુગ્ધા! તમે કેમ ઊભા રહ્યા છો? આસન પર બિરાજે. હે ચકોર જેવા નેત્રવાળી ! તમે મને અવિનયી ન સમજશો. હે સુંદરી ! શું તમારું હૃદય તે આનંદિત છે ને? કમલાક્ષિ! તમારો પ્રિય સખીવર્ગ કુશળ છે ને? હે મનોહરી! મારું વચન સાંભળ. દિકપાલોએ મોકલેલ મને તું તારો અતિથિ સમજ, જેમ નદીના જળથી વૃક્ષો ખેંચાય તેમ ઇંદ્ર, યમ, વરુણને અનિ એ ચારે કપાલે તારા ગુણસમૂહથી યુવાવસ્થાથી જ અત્યંત આકર્ષાયેલ છે. ઇ ફક્ત કુડિનપુરના નામ માત્રથી કર્ણને વિષે કુંડલ ધારણ કરે છે. હે દમયંતી ! તારા નામના સદશ પણાને લીધે દમનક (ડમ)ની માળાને પહેરે છે. (કુડિન=કુંડળ, દમયંતી અને દમનક સમાન વાચક શબ્દ છે.) બીજે લોકપાળ જે પોતે જ અગ્નિ છે, તે તમારા વિયોગરૂપી અગ્નિથી પ્રગટેલા તાપને પિતાના તાપ કરતાં પણ અધિક માને છે. તમારા વિરહથી પીડાયેલા અને યાજ્ઞિક લોકોથી પૂજાએલા અગ્નિદેવનો “હાકાર શબ્દ સરખો સ્વાહા” એવો ઉચ્ચાર થાય છે. ( દુઃખી માણસ હા ! હા ! હા ! કરે તેવી રીતે સ્વાહા !) હે કેળ જેવા સાથળ વાળી ! સૂર્યનો પુત્ર ને યમુનાને ભાઈ એ ચમ દિપાળ, ધર્મરાજ હોવા છતાં પણ તમારા પ્રત્યેના અનુરાગને ઈચ્છે છે. જેમ ઘરમાંથી પ્રગટેલ અગ્નિ ઘરને બાળે તેમ તમારા વિરહથી વીંધાયેલા યમરાજના દેહને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy