SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૮૨ ] શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર. રહે, કે જેથી હું તને ઈશ્વર બનાવું.” ત્યારે-“તમારા માટે પ્રસાદ.” એમ કહીને તે તેની પાસે રહ્યો. તેણે તેને એક ઘરે જમાડ અને તે જમે. પછી સુલસ તે તપસ્વીના નિવાસસ્થાને ગયે, અને આ પ્રમાણે પૂછયું કે-“તમે મને સમૃદ્ધિવાળો શી રીતે કરશે?” ત્યારે તે બે કે-“મારી પાસે રસકુપને કહ૫ છે, તેના એક બિંદુવડે લેઢાની અનેક કટિઓ વિધાય છે. તેથી તેની સામગ્રી તૈયાર કર. તેમાં પ્રથમ મોટા પ્રમાણુવાળું ભેંશનું એક પૂંછડું લાવીને મને આપ.” ત્યારે પિતાની મેળે મરી ગયેલી એક ભેંશનું પૂંછડું તેણે તેને આપ્યું. તેને ભેગીએ છ માસ સુધી તેલને વિષે રાખ્યું. પછી તેણે એક હાથમાં કલ્પનું પુસ્તક રાખ્યું, અને બીજા હાથમાં તે પૂંછડું તથા બે રજજુ (દેરડા) રાખ્યા. અને સુલસના મસ્તક ઉપર બે તુંબડા, માંચી, પૂજાની છાબડી અને અગ્નિસ્થિકા રાખ્યા. પછી તે બન્ને પર્વતની ગુફા પાસે આવ્યા, તેના દ્વારમાં સ્થાપન કરેલી યક્ષની પ્રતિમાને પૂજીને તેમાં પેઠા. ત્યાં જે કઈ ભૂત, વેતાળ અને રાક્ષસ આવતા હતા, તેની સન્મુખ ભય રહિત સુલસ બળિ નાંખતો હતો. ભેંશના પુચ્છના દીવાવડે દેખાતા માર્ગવાળા તે બને બે યોજના ઉલ્લંઘન કરીને રસકૂપને પામ્યા. હર્ષ પામેલા તે બનને ચાર હાથ વિસ્તારવાળા અને ચાર હાથ લાંબા અંડા તે રસકૂપને જોવા લાગ્યા. પછી મંચિકાને તૈયાર કરીને તેને બે રજજુથી બાંધીને ભેગીએ કહ્યું કે-“હે સુલસ! આની ઉપર બેસીને તું કુવામાં પ્રવેશ કર.” પછી બે તુંબડાને ગ્રહણ કરીને તે ધીમે ધીમે તેની ઉપર બેઠો. પછી યોગીએ નાંખેલે તે કુવાને તળીયે રસની પાસે ગયે. નવકાર મંત્રને બોલતે તે જેટલામાં રસ લેવાને ઉદ્યમી થયે, તેટલામાં તેની મધ્યેથી આ પ્રમાણે શબ્દ નીકળે, કે-“હે ભદ્ર! કુષ્ટિ નામના આ રસને તું હાથવડે સ્પર્શ કરીશ નહીં, કેમકે શરીરને લાગેલા આ રસથી પ્રાણુને નાશ થાય છે, તેથી કરીને તેને સાધર્મિકને હું સહાય કરું છું. આ બે તુંબડાને રસવડે ભરીને હું તને આપું છું.” તે સાંભળીને સુલસ બેલ્યો કે “તને ધર્મબંધુને હું વાંદું છું, તું કેણ છે? તારું સ્વરૂપ મને કહે, મને મોટું કૌતુક થયું છે.” ત્યારે તે બે કે-“ભૂવિશાલ નામના નગરનો રહેવાશી જિનશેખર નામને હું વણિક છું. વેપાર માટે હું સમુદ્રમાં ગયો હતો. ત્યાં વહાણ ભાંગી ગયું. હું કોઈપણ પ્રકારે જીવ્યે. રસના લેભવાળા મને પરિવ્રાજકે આ કૂવામાં નાંખે. કૂવાને કાંઠે ગયેલા મારી પાસેથી રસના તુંબડાને ગ્રહણ કરીને હે ભદ્ર! તે પાપીએ મને આ રસની અંદર નાંખે. હું માનું છું કે-તને પણ તેણે જ અહીં નાંખ્યા છે, પરંતુ હે મહાશય સુશ્રાવક! મને તું પિતાનું શેત્ર (કૂળ) કહે.” ત્યારે સુલસે પણ પિતાને વૃત્તાંત તેને નિવેદન કર્યો, (ક) ત્યારે તેણે તેને રસવર્ડ ભરીને તુંબડા આપ્યા. તે તુંબડાને માંચીની નીચે બાંધીને તેણે તે રજજુને ચલાવ્યું (હલાવ્યું , ત્યારે તે યેગીએ તેને કુવાના ઉપલા કાંઠા સુધી ખેંચે. અને કહ્યું કે-“હે ભદ્ર! મને પ્રથમ બે તુંબડા તું આપ.” સુલસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005224
Book TitleShantinath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAjitprabhacharya
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy