________________
[ ૧૮૦ ]
શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર.
સમુદ્રનું મન ફૂટી જાય તેમ તે વહાણ ફૂટી ગયું. ત્યારે કાંઈક પાટિયું પામીને તેને છાતી સાથે આલિંગન કરીને પાંચ દિવસે તે સુલસ સમુદ્રના પારને પામ્યા. ત્યાં કમળ કેળના ફળ વડે આજીવિકા કરો અને પાણી શોધીને પીધું. પછી સ્વસ્થ થઈને તેણે વિચાર્યું કે “ બીજાને અસાધારણ સમૃદ્ધિને પામીને પણ દેવે મને બીજા હાથવાળો (ખાલી હાથવાળો-નિર્ધન) કર્યો. અહે! પાપનું ફળ જે. વિપત્તિને વિષે પણ મારે પુરુષાર્થ તજવો ન જોઈએ, કેમકે વિદ્વાનો વિશેષ કરીને આવું વચન કહે છે, કે-“નીચ પુરુષો વિદનના ભયને લીધે કાર્ય કરવાનો આરંભ કરતા નથી, મધ્યમ પુરુષ કાર્યનો આરંભ કરીને કાંઈક વિશ્વ પ્રાપ્ત થાય ત્યારે તેને તજે છે, અને ઉત્તમ પુરુષો તે હજારો વિદનો થયા છતાં પણ આરંભ કરેલા પ્રશસ્ત(સારા) કાર્યને કઈ પણ રીતે તજતા નથી.” આ પ્રમાણે વિચારીને સુલસ આગળ જવા પ્રવર્યો. ત્યાં એક ઠેકાણે કૌતુક સહિત તેણે ગીધ પક્ષીઓને નિપાત છે. તેને અનુસારે ત્યાં ગયેલા તેણે એક શબ(મડદું ) જોયું. અને તેની ગાંઠે કટિ મૂલ્યવાળા પાંચ રત્નો જોયાં. ત્યારે તેણે વિચાર્યું કે-“મેં પ્રથમ અદત્તાદાનની નિવૃત્તિ કરી છે, પરંતુ આ દ્રવ્ય સ્વામિરહિત છે, માટે ગ્રહણ કરવા લાયક છે. આના મૂળ ધનવડે આના સ્વામીને ઘણું પુણ્ય થાઓ, એટલા ચિત્ય કરાવીશ.” એ પ્રમાણે વિચારીને અને તે રત્ન ગ્રહણ કરીને તે ચાલ્યો, અને સમુદ્રને કાંઠે વેલાકુલ નામના નગરમાં આવ્યો. ત્યાં શ્રીસાર નામના શ્રેણીને ઘેર ગયે. તેણે પણ તેની ભેજનાદિક ઉચિત ક્રિયા કરી. ત્યાં બે રત્નને બે કોટિવડે વેચીને તેના કરિયાણાં લઈને તે પોતાના દેશ તરફ ચાલે. મોટા સાથે સહિત મોટા અરયમાં પ્રાપ્ત થયે. ત્યાં મધ્યા સમયે એક પ્રદેશમાં તે સાથે રહ્યો. સર્વ સાર્થના લોકે ધાન્ય પકાવવા વિગેરે કાર્યમાં વ્યગ્ર થયા, તે વખતે કેઈપણ ઠેકાણેથી તર્ક વિના (અકસ્માત્) આવીને ભિલ ચેરેએ તે સાર્થને લૂટયો. તે વખતે કોઈપણ ગર્વવાળો સુલસ પરિવાર સહિત બખ્તર પહેરીને તે ચોરના સૈન્ય સાથે યુદ્ધ કરવા તૈયાર થયો. ભિલેએ જીતેલા તે સુલસના મનુષ્ય નાશી ગયા, અને યુદ્ધ કરતા સુલસને તે ચોરોએ પકડે. પછી તેને એક વણિકની પાસે વેચે, અને તે વણિકે દ્રવ્યના લાભથી પરકૂળને વિષે મનુષ્યના લોહીના અથી લેકની પાસે વેચે. ત્યાં મનુષ્યોના શરીરમાંથી લોહી ખેંચે છે, તેને કુંડામાં નાંખે છે, તેમાં જંતુઓ ઉત્પન્ન થાય છે, તે જંતુઓવડે કૃમિરોગ થાય છે, તેનાવડે વસ્ત્ર રંગાય છે, અને તે (વસ) અગ્નિવડે બળે તે તેની રાખ પણ રાતા વર્ણવાળી થાય છે. આવા પ્રકારના દુ:ખને સહન કરતા તે રૂધિરથી વ્યાપ્ત શરીરવાળા સુલસને સામુદ્રિક પક્ષી આકાશમાં લઈ ઉ. અને રેહણ પર્વત ઉપર તે તેને લઈ ગયે. ત્યાં તેને શિલાતલ ઉપર મૂકીને ખાવા માટે ઉદ્યમી
૧. આકાશમાં ઉડીને નીચે આવી પડવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org