SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ચોથો પ્રસ્તાવ-પુણ્યસારનું દૃષ્ટાંત. [ ૧૦૫ ] તેણે “હા” એમ કહ્યું, તે વખતે તે બોલી કે “તે હું ગુણસુંદરી નામની તમારી પ્રિયા છું, કે જેને તે તરણના દ્વારમાં મૂકી હતી. હે કાંત! આ પ્રયાસ તમારે માટે જ કર્યો છે, તેથી પ્રસન્ન થાઓ, અને શીધ્રપણે તમે મને સ્ત્રીને વેષ આપે.” તેણે પણ મનહર વેષ પિતાના ઘરથી મંગાવીને તેને આપે. પછી યવનિકા(પડદા)ના મધ્યથી તે વેષ પહેરીને તે બહાર નીકળી. “તમારી વહું તમને વાંદે છે.” એમ ભર્તાએ આદેશ આપેલી તેણીએ રાજાને, સાસુને અને સસરાને નમસ્કાર કર્યા. “આ શું?” એમ પૂછેલા પુયસારે રાજાને અતિ વિસ્મય કરનારી પિતાની કથા કહી. પછી રત્નસારે રાજાને આ - પ્રમાણે વિનંતિ કરી કે-“હે દેવ! જે મારી પુત્રીને પરણો છે, તે સી થઈ છે, તે હવે મારી આ પુત્રીની શી ગતિ?” તે રાજા બોલ્યો કે-“હે શ્રેણી ! અહીં પૂછવાનું શું છે? કેમકે તે પુણ્યસારની પ્રિયા તેને પરણી છે, તેથી તે પણ પુણ્યસારની પ્રિયા થાય.” તે રત્નસુંદરી અને વલભીપુરથી આવેલી તે પ્રિયાએ પુણ્યના ભેગથી પુણ્યસારને ઘેર આવી. આ પ્રમાણે સાંભળનારાને આશ્ચર્ય કરનારી આ આઠ જેણે પૂર્વે પુણ્ય કર્યું છે એવા પુણ્યસારની પ્રિયાઓ થઈ. પછી ત્યાં કઈક દિવસ ધર્મદેશનાવડે ભવ્ય જીને પ્રતિબંધ કરતા જ્ઞાનસાર નામના આચાર્ય આવ્યા. ત્યારે તેને વાંચવા માટે ભકિતથી ભાવિત મનવાળો પુરંદર શ્રેણી પુણ્યસાર સહિત ગયો. ત્યાં તે આચાર્યને નમીને તેણે બે હાથ જોડીને આ પ્રમાણે પૂછ્યું કે-“હે પ્રભુ! મારા પુત્ર પૂર્વભવમાં શું સુકૃત કર્યું છે?” ત્યારે તે અવધિજ્ઞાનવાળા આચાર્ય બોલ્યા કે-“નીતિપુર નામના નગરમાં કઈક સંતાનરહિત કુલપુત્ર હતું. સંસારવાસથી નિર્વેદ પામેલા તે બુદ્ધિમાને સુધર્મ મુનિની પાસે દીક્ષા ગ્રહણ કરી, તથા બન્ને પ્રકારની શિક્ષા ગ્રહણ કરી. તે પાંચ સમિતિને સમ્યફ પ્રકારે યત્નથી પાળતું હતું, અને બે ગુપ્તિને પાળતું હતું, પરંતુ ત્રીજી કાયમુર્તિને વિષે નિશ્ચળ(દઢ) નહતું. કાર્યોત્સર્ગમાં રહેલે તે દેશ અને મશકનો ઉપદ્રવ થાય ત્યારે અવધિ સંપૂર્ણ થયા પહેલાં પણ શીધ્રપણે તેને પાર હતો. સુધર્મ સાધુએ તેને કહ્યું કે “તું આવશ્યકનું ખંડન કેમ કરે છે? કેમકે વ્રતને ભંગ કરવાથી મોટો દેષ થાય છે. ” ત્યારે તેના ભયથી ભય પામેલ અને આ ગુપ્તિને પણ નહીં સહન કરતો તે તે ગુણિને નિર્વાહ કરવા લાગ્યા, અને વૈયાવૃત્ય કરાવા લાગ્યો. છેવટે સમાધિવડે મરીને તે સૌધર્મ દેવલોકમાં દેવ થયે. આયુષ્યને ક્ષયે ત્યાંથી આવીને તે શ્રેષ્ઠી ! તે તારો પુત્ર થયેલ છે. જેથી સાત પ્રવચન માતાને તેણે સુખેથી જ પાળી હતી, તેથી સુખે કરીને આ સાત પ્રિયાએને પરણ્યો છે. અને એક પ્રવચન માતાને જેથી કરીને કછવડે પાળી હતી, તેથી કરીને પ્રિયા પણ તે જ પ્રમાણે થઈ, તેથી કરીને ધર્મકાર્યમાં સર્વ પ્રકારે અપ્રમાદ કરવો જોઈએ.” તે સાંભળીને ઉત્પન્ન થયેલા સંવેગવાળા પુરંદરે દીક્ષા ગ્રહણ કરી, અને વિવેકવાળા પુણ્યસારે શ્રાવક વ્રત ગ્રહણ કર્યું. ત્યારપછી ૧૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005224
Book TitleShantinath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAjitprabhacharya
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy