SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ચોથે પ્રસ્તાવઃ ધનદત્ત સાર્થવાહનું ધન મેળવવા પ્રયાણ. [ ૮૩] જલદી ચાલ.” ઈત્યાદિ વાક્યને તુમુલ થયા. પછી તે સાથે શ્રીપુર નગરને વિષે આ. ત્યાં સરોવરની પાસે રહ્યો. અને સાથે પતિ રમણીય પટકુટીમાં(તંબુમાં) રહો. તે વખતે ભયથી કંપતા અંગવાળો અને ચંચળ લેાચનવાળે કઈ એક પુરુષ ધનદત્તને શરણે આવ્યું. ત્યારે તેણે તેને આ પ્રમાણે કહ્યું કે-“હે ભદ્ર ! આજે માટે અપરાધ છતાં પણ મારી પાસે આવેલ તું કેઈથી પણ ભય પામીશ નહીં.” આ અવસરે “હશે, હશે,” એમ બોલતા ઊંચા આયુધવાળા આરક્ષક પુરુષએ આવીને સાર્થવાહને આ પ્રમાણે કહ્યું, કે-“આ પુરુષ રાજાને દાસ છે. તેનું શ્રેષ્ઠ આભૂષણ ગ્રહણ કરીને આ ઘતકે( જુગારી) પાસે હારી થયે છે. તે જોઈને અમે રાજાને તે વાત કહી, ત્યારે તેણે પણ ક્રોધથી “ આ દ્રોહ કરનારને વધ કર.” એમ આદેશ કર્યો. તે વખતે દયાને પામેલા મંત્રીએ રાજાને આ પ્રમાણે કહ્યું કે-“ જ્યાં સુધી આભરણ આવે નહીં, ત્યાં સુધી આ ગુપ્તિમાં(કેદખાનામાં) રહ.” પછી તેને કેદખાનામાં નાંખે. તે રાત્રિના છેલા પહોરે તે ગુપ્તિને ભાંગીને તથા આરક્ષકને હણીને બહાર નીકળે. તે જાણીને અમે પણ તેની પાછળ શીધ્ર દેડ્યા. અને આ પુરુષ સરોવરની પાસે ગૂઢ વનમાં પેઠો. ત્યાંથી હવે નીકળીને તારે શરણે આવ્યા છે, તેથી હે મોટી બુદ્ધિવાળાએ રાજાનું અહિત કરાનારા આને મૂકી દે.” સાર્થવાહ પણ બે કે-“જે કે એમ છે, તે પણ પુરુષે શરણે આવેલાને કદાપિ આપ ચોગ્ય નથી.” આરક્ષકે બોલ્યા કે “ અમે રાજાને આદેશ કરનારા છીએ.” તે બે તે હું રાજા પાસે જઈને વિનંતિ કરું.” ત્યારે ભલે. એમ છે.” એમ તેઓ બોલ્યા ત્યારે તે રાજા પાસે ગયે, અને મેટા મૂલ્યવાળી એક રત્નાવળિ તેને ભેટ કરી. રાજાએ તેને કહ્યું કે-“હે સાર્થપતિ! તું ક્યાંથી આવે છે?” ત્યારે તેણે પણ સર્વ વૃત્તાંત વિસ્તારથી તેને કહો. અને આ પ્રમાણે કહ્યું કે હે મોટા રાજા ! જે તમે આભરણ પ્રાપ્ત કર્યું હોય, તે મારે શરણે આવેલા તે ચારને તમે આજે મુક્ત કરે.” રાજા બોલ્યા કે “આભરણ પ્રાપ્ત થયા છતાં પણ જો કે આ વધ કરવા લાયક છે, તે પણ તારી પ્રાર્થનાથી આજે હું મુક્ત કરું છું.” ત્યારે “તમારી મોટી કૃપા” એમ બોલીને તે પોતાને સ્થાને ગયે. તથા તે આરક્ષક પુરુષને રાજાના તે નિવાર્યા. પછી તસ્કરને પણ પિતાની સાથે ભેજન કરાવીને ધનદત્ત આ પ્રમાણે કહ્યું કે “તું હવેથી આવું કાર્ય કરીશ નહીં.” તે બે કે-“હે સાથેપતિ! હવે ચેરીથી નિવૃત્ત થયે છું, અને તમારી પ્રીતિને માટે હું કાંઈક પિતાનું હિતકારક વ્રત કરીશ. વળી બીજું એ કે–સાધુએ આપેલે ભૂતને નિગ્રહ કરનાર અને વિશ્વાસ કરનાર મંત્ર મારી પાસે છે, તે તમારે અવશ્ય ગ્રહણ કર.” ત્યારે સાર્થવાહે પણ પ્રાર્થનાને ભંગ કરવામાં ભય પામવાથી તે મંત્ર ગ્રહણ કર્યો. તસ્કર પણ તેની રજા લઈને પિતાના ઈચ્છિત માટે ગયે. પછી ધનદ તરત જ આગળ પ્રયાણ દીધું (કર્યું). અનુક્રમે જતે તે કાદંબરી નામની અટવીને પામ્યું. ત્યાં એક મોટી નદીના તીરે તેણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005224
Book TitleShantinath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAjitprabhacharya
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy