SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ સુકૃતસાગર યાને માંડવગઢના મહામંત્રીશ્વર. મૃગલાએને વાણુરા ( પાસલા ) બંધનરૂપ છે, પરંતુ હાથીઓને ભાર પ્રમાણ સાંકળ ધનરૂપ છે, તેમજ મૂઢજનાને આશા પણ બંધનરૂપ છે, પરંતુ સત્ય પુરૂષોને તેા છતા-વિદ્યમાન ભાગે પણ ધનરૂપ થતા નથી.” શાલિભદ્ર માત્ર પેાતાને માથે શ્રેણિક રાજા સ્વામી છે, એટલુ જ વચન સાંભળીને વૈરાગ્ય પામ્યા હતા, સ્થૂલભદ્ર પિતાના મરણના સમાચાર સાંભળી વૈરાગ્ય પામ્યા હતા, કાર્તિકશેઠ દુ:ખથી વૈરાગ્ય પામ્યા હતા, અને મેતા વગેણુ-તિરસ્કાર પામવાથી વૈરાગ્ય પામ્યા હતા. તે જ પ્રમાણે આ મંત્રી માત્ર મડી મળી કે તરત જ વૈરાગ્ય પામ્યા હતા, પરંતુ “ પ્રિયાની અનુમતિથી હું ચાથુ વ્રત ગ્રહણ કરીશ, ” એમ વિચારી અવસરની રાહુ જોતા તેણે તેટલા '' "" દિવસ તે મડીની પૂજા કરી. ૭૬ "" આ અવસરે મંત્રીનું ( હું તેા બ્રહ્મચર્યના વ્રતવાળા નથી તેથી મડી પહેરતો નથી એવું) વચન સાંભળી ઉત્તમ ભાર્યાએ ભર્તારને કહ્યું કે—“ હે સ્વામી ! વ્રત ગ્રહણ કરીને પણ આ મડી તમે પહેરો. ’’ તે સાંભળી મંત્રીએ તેણીને પૂછ્યું' કે—“ હે પ્રિયા ! આ વાત તને રૂચે છે ? ” ત્યારે તેણીએ હર્ષોંથી હા પાડી. તે સાંભળી મંત્રી અત્યંત આનંદથી પુષ્ટ થયા. તે નારી આ જનાના આશ્ચર્ય ને માટે થઇ, કે જેનુ' ચિત્ત ઘણું યૌવન ( ભર જીવાની ), ઘણું ધન અને પતિનું માન વિગેરે સ અનુકૂળ સચાગ છતાં પણ વિષયની ઇચ્છામાં લપટાયું નહીં. પતિના વચનને અંગીકાર કરનારી, માલ્યાવસ્થાથી પણ કુળના ક્રમના લાપ નહીં કરનારી તથા યુવાવસ્થામાં પણ ભાગની ઇચ્છાના નાશ કરનારી તે સ્ત્રી સ` સતીઓને વિષે ગુણાથી અધિક થઈ. સતી છતાં કુ ંતીએ કુમારી અવસ્થામાં કહ્યું ને પ્રસબ્યા હતા, સીતાએ પણ એક વખત પતિના વચનને લેપ કર્યાં હતા, અને દ્રૌપદી વિષયની તૃષ્ણાથી બ્યાસ હતી, તે। આ સતીની તુલ્ય કઇ સતી હતી ? ત્યારપછી ગુરૂની પાસે અત્યંત આનંદ સહિત જઇ મહેાત્સવ પૂર્ણાંક નંદીની સન્મુખ ખત્રીશ વર્ષની વયે તે બન્નેએ ચેાથુ વ્રત અંગીકાર કર્યુ. મોટા પુરૂષરૂપી વૃક્ષોને પાડી નાખનાર ચૈાવનરૂપી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005222
Book TitleSukrutsagar yane Mandavgadh no Mahan Mantrishwar
Original Sutra AuthorN/A
AuthorRatnamandan Gani
PublisherAtmanand Jain Sabha
Publication Year1930
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy