SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ વાતાવરણ સુધરી આવ્યું. અને પ્રથમ અત્રેના રહીશ શા. પરભુદાસ ભાઈચંદની ધર્મપત્ની બાઈ મણી બહેને શા. વનમાળી કાનજીની ધર્મપત્ની બહેન સમુએ નકારશીઓ જમાડી હતી અને ગામ વડીયાવાળા સંઘવી કાળ કેશવજીવાળાએ તે પ્રસંગે નકારશી કરી હતી. તે પછી ભાદરવા સુદ ૧ને દિને શ્રી મહાવીર પ્રભુને જન્મત્વને સમય આવ્યે તે વખતે દેવદ્રવ્યની વૃદ્ધિ પુષ્કળ થઈ હતી કે તેવી કઈ વખત થઈ નહોતી. આ વર્ષમાં સુરકામાં પ્રતિષ્ઠા પણ કરાવી હતી. સં. ૧૯૮૪ ના ચામાસામાં મુનિ મહારાજ શ્રી રવિવિજયજી મહારાજ તથા હીરવિજયજી મહારાજ તથા કાન્તિવિજયજી મહારાજ સાથે અત્રે ચારમાસ કર્યું હતું તેઓશ્રી સાથે ચરિત્ર નાયકને બહુજ સારે પ્રેમભાવ વધતો હતો, તેમજ સં. ૧૯૮૫ નું ચાતુર્માસ સાથે જ થયું હતું સં. ૧૯૮૬ ના ચૈત્ર વદી ૧૩ વાસા લલ્લુભાઈ પીતાંબરદાસે ચરિત્ર નાયકના સદ્દઉપદેશથી તેઓશ્રી સાથે તળાજા તીર્થને સંઘ લઈ જાત્રા કરવા નીકળ્યા હતા. વરલ મુકામેથી પંન્યાસજી મહારાજ શ્રી મતિવીજયજી વિ. ઠાણું ત્રણ સાથે પધાર્યા હતા. પુજ્ય મુનિ મહારાજ શ્રી રવિવિજયજી તથા હીરવિજયજી તથા કાન્તિવિજયજી મહારાજ પણ સામેલ થયા હતા સંધ તળાજા પહોંચતાં ત્યાંના સંધે સામૈયું કર્યું હતું, તેમજ ત્યાં વિશાક સુદ ૬ ને દિવસે શ્રી પાર્શ્વનાથ પ્રભુના મંદિરના ઉપરની દેરીમાં શ્રી ચામુખજી મહારાજની પ્રતિષ્ઠા કરી હતી. સિવાય ગુરૂભક્તિ નિમિત્તે દરેક વર્ષની જેઠ સુદ ૮ રોજ સ્વર્ગવાસી મહાત્માશ્રી વિજયાનંદસૂરીશ્વરજીની જયંતી પણ તેઓશ્રી ઉજવતા હતા, એકંદરે ગરમહારાજ શ્રી બાળબ્રહ્મચારી, સ્વભાવે શાંત, નિસ્પહિ, તેમને ચારિત્ર આરાધવાને સતત પ્રેમ વિગેરે ઘણુંજ પ્રશંસવા લાયક મુનિના ગુણે છે શરીર સ્થિતિ દિવસાનદિવસ શિથિલ થતી જતી હોવા છતાં પિતાને સંયમ માર્ગને સારી રીતે નિર્વાહ કરી રહ્યા છે. આ પ્રમાણે ચરિત્રનાયકનું જીવન અહિં પૂર્ણ થાય છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005222
Book TitleSukrutsagar yane Mandavgadh no Mahan Mantrishwar
Original Sutra AuthorN/A
AuthorRatnamandan Gani
PublisherAtmanand Jain Sabha
Publication Year1930
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy