________________
[ ૧૮ ] બાજુમાં બાજરીયાનું દેરાસર છે. ત્યાં દર્શન કરે. આ દેરાસર પર સં. ૧૬૧૫ ને શિલાલેખ છે.
- ત્યાંથી આગળ ચાલતાં દાગીના મૂકવાની સુરક્ષિત તીજોરીને રૂમ આવે છે. પછી શ્રી નેમિનાથ ભગવાનનાં દર્શન કરી ભમતીમાં આગળ વધાય છે.
આગળ ચાલતાં રથ મૂકવાના એારડાની બાજુમાં આવેલ દેરાસરના દર્શન કરી વીશ વિહરમાનના દેરાસરમાં જવાય છે. આ મંદિરના ગભારામાં વીશ વિહરમાન છે અને રંગમંડપમાં ૨૪ ભગવાન છે. આ મંદિરમાં સં. ૧૫૮૭ વૈ. વ. ૫ ને શનિવારે પ્રતિષ્ઠા કર્યાનાં લેખે છે.
ત્યાં દર્શન કરી દેરીઓમાં દર્શન કરતાં આગળ વધે છે. આગળ વધતાં એક ઓરડામાં પ્રતિમાજી છે અને બીજી દેરીઓમાં પણ પ્રતિમાજી છે ત્યાં દર્શન કરવાં.
૧૨. અષ્ટાપદજીનું દેરાસર પછી અષ્ટાપદજીના દેરાસરમાં આવે. ત્યાં અષ્ટાપદની રચના કરીને ૨૪ તીર્થ કરની પ્રતિમાઓ વિરાજમાન કરેલ છે. પરંતુ પ્રતિમાજીઓને કમ સચવાયે નથી. સામે શ્રી ગષભદેવ અને અજિતનાથ જોઈએ તેને બદલે બંને પ્રતિમાજી ધર્મનાથ ભગવાનને છે. અહીં રાવણ-મંદોદરીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org