SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ [ પ૭ 1 કરી યાત્રાળુ પુણ્યાત્માઓ આગળ વધે છે. ગણુધર૫ગલાની બાજુમાં થઈ આગળ વધે છે. કહેવાતા શ્રી સીમંધરસ્વામીના દેરાસરની બાજુમાંથી વર્તમાનમાં જે નવી સીડી કરી છે તેની ઉપર થઈને દાદાના દહેરાસર વગેરે ઉપર બિરાજમાન પ્રતિમાજીઓનાં દર્શન કરે છે. પાછા વળતાં શ્રી સીમંધરસ્વામીના ઉપરના ભાગમાં ચૌમુખજી મહારાજનાં દર્શન કરે છે. આ ચૌમુખજીની સં. ૧૩૩૭ કે ૧૩૬૧ માં અંજનશલાકા થઈ છે. - પછી નીચે ઉતરી જમણા હાથ તરફ જતાં સહસફણા પાર્શ્વનાથના દર્શન કરે છે. અને ગધારીયાના દેરાસરની બાજુમાંથી આગળ જાય છે. અહીંથી ત્રીજી પ્રદક્ષિણ શરૂ થાય છે. ૧૧ ત્રીજી પ્રદક્ષિણ સામે પાંચ ભાઈઓના દેરાસરથી ત્રીજી પ્રદક્ષિણા શરૂ થાય છે. પાંચ ભાઈઓએ આ મંદિર બંધાવેલ હોવાથી પાંચ ભાઈનું મંદિર કહેવાય છે. તેમાં પાંચ વિશાળ જિનબિંબે છે. તેની પ્રતિષ્ઠા સં. ૧૯૭૭ માં થઈ છે. વળી સં. ૧૮૬૮ને એક શિલાલેખ પણ ત્યાં છે તે લેખ બહારના ગેખલાને લાગે છે. ત્યાંથી આગળ શ્રી પુંડરીકસ્વામીના દેરાસરની પુંકે લાગીને દેરાસર છે ત્યાં દર્શન કરે. ક T Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005221
Book TitleShatrunjaya Giriraj Darshan
Original Sutra AuthorN/A
AuthorKapurchand R Baraiya
PublisherAtmanand Jain Sabha
Publication Year1983
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy