________________
BE
[૫૪] આ ગણધરપગલાં વિ. સં. ૧૬૮૨ જેઠ વદ ૧૦ શુક્રવારે જેસલમેર નિવાસી લેદ્રવામાં ચિંતામણિ પાશ્વનાથની પ્રતિષ્ઠા કરાવનાર ઓસવાલ ભંડારી સં. બાદરે પ્રતિષ્ઠા કરાવેલ છે. (લેખ નં. ર૪)
અહીં દર્શન કરીને આગળ વધતાં હાલમાં શ્રી સીમંધરસ્વામીના કહેવાતા દેરાસરે જવાય છે. હાલમાં આ દહેરાસરમાં મૂળનાયકજીની પ્રતિમા શ્રી આદીશ્વર ભગવાનની છે. તે સં. ૧૬૭૭માં ભરાવેલ છે. તે અમદાવાદના એસવાલ માનસિંઘે શ્રી વિજયદેવસૂરિના હાથે પ્રતિષ્ઠિત કરેલ છે. (જુઓ દેરી નં. ૨૦૦ લેખ નં. ૮૯)
તે ગભારામાં અને બહાર મંડ૫માં બીજી પ્રતિમાઓ છે. તેની ઉપર જુદા જુદા લે છે. મંડપમાં શ્રાવકશ્રાવિકાની મૂતિ પણ છે.
રંગમંડપમાં એક દેવીની મૂર્તિ ઉત્તમ કારીગરીવાળી છે. તેને અમકા (અંબિકા) દેવી કહે છે. અહીં પહેલી પ્રદક્ષિણા પૂરી થાય છે.
બીજી પ્રદક્ષિણ ૮. નવા આદીશ્વરનું મંદિર
અહીંથી બીજી પ્રદક્ષિણા શરૂ થાય છે. આ મંદિર વસ્તુપાલ તેજપાલનું બંધાવેલ હોય એવું અનુમાન થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org