SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ - . ક [ ૪૮ ] ભરાવીને પ્રતિષ્ઠા કરી છે. વર્તમાનમાં પ્રતિમાજી ઉપર કરમાશાના ઉદ્ધારને વિ.સં. ૧૫૮૭ને શિલાલેખ વિદ્યમાન છે. દાદાનું પરિકર ત્યારે ન હતું. અત્યારે જે પરિકર છે તે અમદાવાદના શા શાંતિદાસ વગેરેએ ભરાવેલું છે. તેની પ્રતિષ્ઠા વિ. સં. ૧૯૭૦માં શ્રી વિજયદેવસૂરિ મહારાજે કરી છે (લેખ નં. ૭૧) ૨. મૂળનાયક શ્રી આદિનાથ ભગવાનનું મંદિર દાદાનું મંદિર ભેંયતળિયેથી બાવન હાથ ઊંચું છે. શિખરમાં ૧૨૪૫ કુંભે છે. ૨૧ સિહનાં વિજયચિહ્ન શોભી રહ્યા છે. ચાર દિશામાં ચાર યોગિનીઓ છે. દશ દિપાલનાં પ્રતીકે એના રક્ષકપણાને ખ્યાલ આપી રહ્યા છે. મંદિરની વિશાળતાને ખ્યાલ આપતી ગભારાની આસપાસ ૭ર દેવકુલિકાઓની રચના છે. ચાર ગવાક્ષે એની ભવ્યતામાં વધારો કરે છે. ૩ર પૂતળીઓ અને ૩૨ તારણે આ મંદિરને કળામય બનાવે છે. મંદિરને ટેકવી રાખતા ૭ર આધારસ્તંભે એની કળામય રચનાનું ભાન કરાવી રહ્યા છે. એવી સર્વાગ સુંદર રચના પાછળ પિતાની અનર્ગળ સંપત્તિ લગાડનાર કરમાશા પછી તેજપાળી ની છે. સોળમા ઉદ્ધારના કર્તા કરમાશાના ઉદ્ધારવાળા અને બાહડમંત્રીને બનાવેલા આ મૂળ મંદિરને નંદીવર્ધન એવું નામ અપાયું છે. તેમ તા. અને કરી શકતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005221
Book TitleShatrunjaya Giriraj Darshan
Original Sutra AuthorN/A
AuthorKapurchand R Baraiya
PublisherAtmanand Jain Sabha
Publication Year1983
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy