________________
:
અટક
[ ૪૩ ] આવ્યું. તેને ભૂખ લાગી હતી. રસોઈ તૈયાર થઈ ન હતી. તેણે ભાભીને કહ્યું કે–બપોર થયા તેયે રાઈ થઈ નથી. ઘરમાં રહીને રસેઈ પણ સમયસર કરતાં નથી?
ભાભીએ કહ્યું કે મેડું પણ થાય. ગુસ્સે કેની ઉપર કરે છે ? તમારા ભાઈ કમાય છે. તમારે બેઠાં બેઠા તાગડધિન્ના કરવા છે. બાહુ બળ હોય તે સિદ્ધગિરિ પર યાત્રાળુઓને હેરાન કરનાર સિંહ છે તેને મારે તે જાણું કે–તમે બહાદુર છે. - ભાભીના મેણાથી તેણે પ્રતિજ્ઞા કરી કે- “સિંહને મારી નાખું તે જ ઘરમાં પગ મૂકું.”
બેકો લઈને નીકળી પડ્યો. તલાટી આવ્યા. મિત્રોની વિદાય લીધી અને કહ્યું કે–ઉપર જઈને સિંહને મારીશ એટલે ઘંટ વગાડીશ. ઘંટ વાગે ત્યારે તમારે જાણવું કે–સિંહ મરાયે.”
એમ કહી ધોકો લઈ ગિરિરાજ પર ચડ્યો. ઉપર આવીને સિંહને શોધવા લાગે. સિંહ એક ઝાડ નીચે નિરાંતે સૂતો હતે. “સૂતેલાને ન મરાય” આથી અવાજ કરીને સિંહને જગાડ્યો. સિંહ જેવું ઉંચું જોવા જાય છે કે તેના માથામાં છે કે એ માર્યું કે તે તરફડીને નીચે પડયો–બેભાન થઈ ગયે.
વિક્રમશી સિંહ મરી ગયું છે એમ જાણું જે ઘંટ વગાડવા જાય છે ત્યાં પાછળથી સિંહે ઝાપટ મારી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org