________________
[ ૩૦ ]
વ્યાઘૂમતોલી ન દરવાજે બનાવવા માટે ખેદકામ કરતાં વિ. સં. ૧૨૮૮ ને વીરધવલરાજાના મંત્રીશ્વર શ્રી વસ્તુપાલ તેજપાળને કાળા પથ્થરનો શિલાલેખ જે નીકળે તે વાઘણપોળના દરવાજામાં તેની બન્ને દીવાલ પર લગાડ્યો છે. આ શિલાલેખ સંસ્કૃત ભાષામાં લેકબદ્ધ છે. નીચેના ભાગમાં શિલાલેખનું ગુજરાતી ભાષાંતર તૈયાર કરાવી કેતરાવ્યું છે.
વાઘણપોળની અંદર પ્રવેશ કરતાં મંદિરને વિશાળ સમુદાય દષ્ટિગોચર થાય છે. આ સારીયે ટૂંક વિમલવસહીના નામથી ઓળખાય છે.
વાઘેલાયુગમાં વાઘણપોળની જમણી બાજુએ હાલ જ્યાં કેશવજી નાયકનું આધુનિક મંદિર છે. ત્યાં પૂર્વકાળમાં રૈવતાચલાવતારરૂપ શ્રી નેમિનાથ ભગવાનનું મંદિર શોભી રહ્યું હતું, અત્યારે ડાબી બાજુએ જ્યાં સં. ૧૮૬૦ માં બાંધેલ દમણુવાળા શેઠ હીરાચંદ રાયકરણનું શાંતિનાથ ભગવાનનું મંદિર છે. ત્યાં પૂર્વે સ્થંભનપુરાવતાર શ્રી પાર્શ્વનાથ ભગવાનનું મંદિર હતું. આ બનને મંદિરો મહામાત્ય શ્રી વસ્તુપાલે બંધાવ્યા હતા. (આ હકીક્ત પ્રશસ્તિલેખમાં છે.) આ મંદિરે પંદરમાં–સેળમાં સૈકા સુધી વિદ્યમાન હતા. પાછળથી તે લુપ્ત થઈ ગયા. કાળબળે કેટલાક ફેરફાર થઈ ગયા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org