________________
-
:
ભજન કી
[ ૨૮ ] સવા બે માઈલને થાય છે. આ ગિરિરાજની ટોચ દરિયાની સપાટીથી ૧૮૦૦ ફૂટ ઊંચી છે.
આવા મંદિરના નગરરૂપ ગિરિરાજની ટોચે આવીએ એટલે રામપળ આવે. વર્તમાનમાં આ દરવાજે મનેહર સુશોભિત બનાવ્યા છે.
રામપળમાં પિસતાં સન્મુખ પંચશિખરી શ્રી વિમલનાથ ભગવાનનું દેરાસર આવે છે. આ મંદિર શેઠ મેહનલાલ વલ્લભદાસ ઔરંગાબાદવાળાએ બંધાવ્યું છે.
તેની બાજુમાં શેઠ દેવચંદ કલ્યાણચંદ સુરતવાળાએ બંધાવેલું ત્રણ શિખરવાળું મંદિર છે, તેમાં મૂળનાયક શ્રી સુમતિનાથ ભગવાન છે.
આ મંદિરે મેતીશા શેઠની ટૂંક બંધાયા પહેલા થયાં છે. તેથી કલ્પી શકાય છે કે–પહેલાં જે કુંતાસરની ખીણ હતી તેની ધાર પર આ મંદિરે થયાં છે.
તેની પછી બગીચે અને મોતીશાની ટૂંક આવે છે. મેતીશાની ટંકનું વર્ણન નવ ટૂંકના વર્ણનમાં આવશે. મેતીશા શેઠની ટૂંકને લાગીને કુંડ આવે છે તે કુંડ ઉપર કુતાસાર દેવીને ખલે છે.
રામપળની અંદર જે ચોક છે, ત્યાં ઓળીવાળાઓ બેસે છે. આરામ કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org