________________
[ ૨૫ ] ભરતચક્કી છ ખંડ જીતવા નીકળ્યા ત્યારે નમિવિનમિ સાથે યુદ્ધ થયું. અંતે નમિ-વિનમિ પરાજય પામ્યા. ભરતની આજ્ઞા સ્વીકારી પણ વૈરાગ્યથી પિતાના પુત્રને રાજ્ય આપી સંયમ સ્વીકાર્યું. સંયમની આરાધના કરી ગિરિરાજ પર પધાર્યા. અનશન કરી ફાગણ સુદિ ૧૦ ના દિવસે બે ક્રોડ મુનિ સાથે મોક્ષે ગયા.
૨૬. હનુમાનધારા આગળ ચાલતા હનુમાનધારા આવે છે. ત્યાં ડાબી બાજુએ ચાતરા ઉપર શ્રી ઋષભદેવ પ્રભુનાં પગલાં છે. જમણી બાજુએ દેરીમાં હનુમાનજીની ઊભી મૂર્તિ છે.
અહીં ટાઢા-ઉના પાણીના પરબ છે.
હનુમાનધારાથી બે રસ્તા પડે છે. એક નવટુંક તરફ જાય છે, બીજે દાદાની ટૂંક તરફ જાય છે.
દાદાની ટૂંક તરફ જતાં આગળ ડુંગરની ભેખડમાં કેતરેલી ત્રણ મૂર્તિઓ છે. ત્યાં ચઢવા માટે ડુંગરમાં કતરેલા પગથિયા છે તે મૂર્તિએ જાલિ, મયાલિ ને ઉવયાલિની ધ્યાનમાં ઊભેલી કેરેલી છે. - ર૭ જાલિ–મયાલિ–ઉવયાલિ
અંતકૃશા નામના આઠમા અંગના ચોથા વર્ગમાં એમના નામનું પહેલું, બીજુ અને ત્રીજુ અધ્યયન છે. દ્વારામતી નગરીના વસુદેવ અને ધારણીના પુત્ર જાતિ હતા. તેમણે નેમિનાથ ભગવાનના ઉપદેશથી સંયમ લઈ
મત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org