________________
TI
'
[ ૧૮ ] હેરાન કરે છે. તેને દૂર કર, જેથી યાત્રાળુઓને સુખ પૂર્વક યાત્રા કરી શકે.
દેવીએ રાક્ષસ સાથે યુદ્ધ કરી તેને પરાભવ કર્યો. રાક્ષસે દેવીના પગમાં પડી વિનતિ કરી કે—મારી એક પ્રાર્થના સ્વીકારે. આજથી તમે આ તીર્થમાં મારાં નામથી ઓળખાઓ અને તીર્થમાં મારા નામની સ્થાપના થાય એવું કરે. હું કદીએ કેઈને પીડા કરીશ નહીં.
દેવીએ તેની વિનતિ માન્ય રાખી. અંબિકાદેવીએ ભક્તોને જણાવ્યું કે –મને હિંગલાદેવીના નામથી ઓળખજે. (એમ કહેવાય છે કે–આ બનાવ કરાંચી નજીકના ડુંગરામાં હિંગલાજનું સ્થાન છે ત્યાં બન્યા હતે.) સિદ્ધાચળની આ ટેકરી પર અધિષ્ઠાત્રી દેવી થઈને રહ્યા છે. તેથી આ ટેકરી હિંગલાજનાં હડા તરીકે ઓળખાય છે.
તે હડે ચડ્યા પછી સુંદર વિસામે આવે છે. ત્યાં બધાં યાત્રિકો વિસામે લે છે. ત્યાં કચ્છી હીરજી નાગજી તરફથી પાણીની પરબ છે.
૧૯. કલિકંઠ પાર્શ્વનાથનાં પગલાં
અહીં આગળ વચમાં એક દેરી છે, તેમાં સં. ૧૮૩૫ માં પ્રતિષ્ઠિત શ્રી કલિકુંડ પાર્શ્વનાથનાં પગલાં છે. હમણાં આ દેરી નવી સુંદર બંધાવવામાં આવી છે.
'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
WWW