________________
1
બાઇક
મા
:: જય
[ ૧૭ ] ગિરિરાજની યાત્રા
જયતલાટી જયતલાટીને ખુલ્લે એટલે છે. તેની જમણ બાજુ અમદાવાદના નગરશેઠ હેમાભાઈ વખતચંદે આરસની દેરી બંધાવવા પૂર્વક મંડપ બંધાવ્યું છે.
ડાબી બાજુએ પેલેરાવાળા શેઠ વીરચંદ ભાઈચંદે આરસની દેરી સાથે મંડપ બંધાવ્યું છે.
તલાટીની વચમાં ગિરિરાજની સ્પર્શના માટે વિશાલ શિલા છે. તેની પૂજા થાય છે. શ્રી જૈન શ્રેયસ્કર મંડળ તરફથી કાયમ રૂપેરી વરખની આંગી થાય છે. તેની ઉપર એટલા ઉપર નવી શોભાયમાન દેરીઓ છે. આ દેરીઓની વિ. સં. ૨૦૩૪ માં પુનઃ પ્રતિષ્ઠા થઈ છે.
ગિરિરાજની યાત્રા કરનારા પુણ્યાત્માઓ ગિરિરાજનાં પાંચ ચૈત્યવંદન કરે છે. તેમાં પ્રથમ ચૈત્યવંદન અહીં કરવામાં આવે છે.
શ્રી શત્રુંજય ગિરિરાજનું ચિત્યવંદન શ્રી શત્રુંજય સિદ્ધક્ષેત્ર, દીઠે દુર્ગતિ વારે; ભાવ ધરીને જે ચઢે, તેને ભવપાર ઉતારે. ૧ અનંત સિદ્ધને એહ ઠામ, સકલ તીર્થને રાય; પૂર્વ નવાણું ષભદેવ, જ્યાં ઢવિયા પ્રભુ પાય. ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
WWW.Jવી