________________
[ ૧૩૦ ] કર્મકાટ સવિ ટાળવા, જેહનું ધ્યાન હુતાશ; તે તીર્થેશ્વર પ્રભુમિ, પામીજે સુખવાસ. ૯ પરમાનંદ દશા લહે, જસ ધ્યાને મુનિરાય; તે તીર્થેશ્વર પ્રણમિયે, પાતિક દૂર પલાય. ૧૦ શ્રદ્ધા ભાસન રમણતા, રત્નત્રયીને હેત; તે તીર્થેશ્વર પ્રણમિયે, ભવ-મકરાકર-સેતુ. ૧૧ મહાપાપી પણ નિસ્તર્યા, જેહનું ધ્યાન સહાય, તે તીર્થેશ્વર પ્રણમિય, સુર નર જસ ગુણ ગાય. ૧૨ પુંડરીક ગણધર પ્રમુખ, સિધ્યા સાધુ અનેક; તે તીર્થેશ્વર પ્રણમિયે, આણું હૃદય વિવેક. ૧૩ ચંદ્રશેખર સ્વસાપતિ, જેહને સંગે સિદ્ધ તે તીર્થેશ્વર પ્રકૃમિ, પામીજે નિજ દ્ધ. ૧૪ જલચર ખેચર તિરિય સવે, પામ્યા આતમ ભાવ; તે તીર્થેશ્વર પ્રણમિયે, ભવજલ તારક નાવ. ૧૫ સંધિયાત્રા જેણે કરી, કીધા જેણે ઉદ્ધાર; તે તીર્થેશ્વર પ્રણમિયે, છેદી જે ગતિ ચાર. ૧૬ પુષ્ટિ શુદ્ધ સંવેગ રસ, જેહને ધ્યાને થાય, તે તીર્થેશ્વર પ્રણમિયે, મિથ્થામતિ સવિ જાય. ૧૭ સુરત સુરમણિ સુરગવિ, સુરઘટ સમ જસ ધ્યાવ; તે તીર્થેશ્વર પ્રમિય, પ્રગટે શુદ્ધ સ્વભાવ. ૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org