________________
[ ૧૨૧ ] અથ-જે મનુષ્ય શ્રી શત્રુંજયગિરિના શિખર ઉપર જિનેશ્વરની પ્રતિમા બેસારે અથવા ચૈત્ય કરાવે, તે ભરતક્ષેત્રને ભેગવીને એટલે ચક્રવતી થઈને પછી સ્વર્ગ તથા મોક્ષને વિષે વાસ કરે છે. અર્થાત્ સ્વર્ગ અને મેક્ષનાં સુખ પામે છે. ૧૫ નવકારપેરિસીએ, પુરિમગાસણું ચ આયામં; પુંડરીય ચ સરત, ફલકંખી કુણઈ અભત. ૧૬ છદ્રુમદસમદુવાલસાણું, માસદ્ધમા ખમણાણું તિગરણસુદ્ધો લહઈ, સિતું જ સંભરતે . ૧૭
અથ–ઉત્તમ ફળની આકાંક્ષાવાળો જે મનુષ્ય પુંડરીકગિરિનું સ્મરણ કરતે થકે નવકારશી, પરિસો, પુરિમઢ, એકાસણું, આયંબીલ અને ઉપવાસ કરે છે, તે ત્રિકરણ શુદ્ધ શ્રી શત્રુંજયનું ધ્યાન કરવાથી અનુક્રમે, છઠ્ઠ, અમિ, દશમ (ચાર ઉપવાસ), દ્વાદશ (પાંચ ઉપવાસ), અર્ધમાસ (પંદર ઉપવાસ) અને મા ખમણનું ફળ પામે છે. ૧૬-૧૭ છઠેણં ભત્તેણં અપાણેણં તુ સત્ત જતા; જો કુણઈ સેત્તેજે, તઈયભવે લહઈ સે મુખ. ૧૮
અર્થ–જે મનુષ્ય શત્રુંજય તીર્થ ઉપર પાણી રહિત (વિહાર) છદ્ ભક્ત (બે ઉપવાસે) કરીને સાત યાત્રાઓ કરે, તે ત્રીજે ભવે મેક્ષપદને પામે છે. ૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org