________________
જ
[ ૧૪ ] થતી નથી જ્યારે આ ગિરિરાજની યાત્રા કરતાં કાંકરે કાંકરે અનંત જીવો મેક્ષે ગયાની યાદ તાજી થાય છે. તેથી આ ગિરિરાજનું મહત્વ વિશિષ્ટ છે. તેમજ આ ગિરિરાજ પ્રાય: શાશ્વત છે. પ્રાયઃ શાશ્વત કહેવાનું પ્રોજન એ છે કે તેના પ્રમાણમાં વધઘટ થયા કરે છે. પણ પાંચમા આરાના અંતે જેમ અન્ય સર્વ પદાર્થો નાશ પામે છે, તેમ આ ગિરિરાજને સર્વથા નાશ થતું નથી પણ સાત હાથ પ્રમાણ છઠ્ઠા આરામાં પણ આ ગિરિરાજ રહેશે. આ વિષમકાળમાં જીને સંસારસમુદ્ર તરવા માટે આ ગિરિરાજ વિશિષ્ટ સાધન છે. અહીંનું વાતાવરણ ઘણું જ પવિત્ર છે. ગિરિરાજ સ્વયં પવિત્ર છે. છતાં જીના ભાવમાં વિશેષપણે વિશુદ્ધિ થાય તેથી પૂર્વના મહાપુરુષોએ અનેક જિનમંદિરે આ ગિરિરાજ પર બંધાવેલા છે. અનેક સંઘપતિઓ વિશાળ સંઘ લઈને આ ગિરિરાજની યાત્રાએ આવેલ છે. પૂજનીય આગમગ્રંથોમાં તેમજ શ્રી સીમંધરસ્વામીએ સ્વમુખે આ ગિરિરાજને મહિમા વર્ણવ્યું છે.
આ અવસર્પિણી કાળમાં આ ગિરિરાજના મોટા સેળ ઉદ્ધાર થયા છે, પાંચમા આરાના અંતે દુપસહસૂરિ મહારાજના ઉપદેશથી શ્રી વિમલવાહન રાજા છેલે ઉદ્ધાર કરાવશે.
આ ગિરિરાજ અંગેની વિશિષ્ટ માહિતીઓથી ભરપુર, ગિરિરાજ ઉપરના લેખે, વિશિષ્ટ ટાઓ, ફેટાઓને પરિચય આદિ અનેક સામગ્રીથી ભરપૂર પૂ. આ. શ્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org