________________
શ્રી શત્રુંજયગિરિરાજ-દર્શને
સંસારમાં પરિભ્રમણ કરતાં આત્માઓને જે તારે તે તીર્થ કહેવાય. તીર્થ બે પ્રકારના છે. જંગમ તીર્થ અને સ્થાવર તીર્થ. શ્રી ગણધર ભગવંત અને ચતુવિધ શ્રમણ સંઘ એ જંગમ તીર્થ છે. જ્યારે તીર્થકર ભગવંતેની કલ્યાણકભૂમિએ, મહામુનિઓ જે ભૂમિ ઉપર કર્મક્ષય કરી નિર્વાણ પામ્યા હોય, તેમજ જીવોના કર્મક્ષય કરવામાં નિમિત્તભૂત જે સ્થાને હોય તે સ્થાવર તીર્થ કહેવાય છે.
સ્થાવર તીર્થોમાં શ્રી સિદ્ધાચલ ગિરિરાજ અન્ય સર્વ તીર્થો કરતાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. આ તીર્થની મહત્તા એ છે કે આ ગિરિરાજની ભૂમિનો સ્પર્શ પણ જે મુક્તિગમનની યોગ્યતાવાળે હેય તે ભવ્ય આભા જ કરી શકે છે, અભવ્ય આત્મા આ ગિરિરાજને સ્પર્શ કરી શકતા નથી. અન્ય તીર્થો માટે આ નિયમ નથી.
વળી આ ગિરિરાજની યાત્રા કરતાં આ ભૂમિ ઉપર સિદ્ધિગતિને પામેલા અનંત સિદ્ધાત્માઓની યાદ આવે છે. જે કે ૪૫ લાખ યેજન પ્રમાણુ દરેક ભાગમાંથી અનંતકાળની અપેક્ષાએ અનંત આત્માઓ મુક્તિ પામેલા છે. પણ દરેક સ્થળે કે અન્ય તીર્થોમાં પણ તે સિદ્ધાત્માઓની યાદ તાજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org