________________
તેમણે મુંબઈમાં ગાડી પાર્શ્વનાથજીના દેરાસરની બાજુમાં હજારની ઉપજવાળી માટી ચાલી બંધાવી હતી. આ શેઠનું નામ મુંબઈ નગરીમાં મશહૂર હતું. મુંબઈ
ડીજીમાં એમ મનાય છે કે–તેમના સમયમાં તેમનું ઘઘારી સમાજમાં અગ્રેસરપણું હતું.
આ ટ્રકમાં શ્રી આદીશ્વર ભગવાનનું મંદિર સં. ૧૮૭ માં બંધાવેલ તેમનું છે. તેમજ શ્રી પંડરીક સ્વામીનું દેરાસર પણ તેમનું બંધાવેલું છે.
સં. ૧૯૦૮માં મુંબઈના શેઠ ફતેચંદ ખુશાલચંદનું બંધાવેલું ચૌમુખજીનું મંદિર છે.
તેની સામે કપડવણજના શેઠ મીઠાભાઈ ગુલાબચંદનું સં. ૧૯૧૬ માં બંધાવેલું શ્રી વાસુપૂજ્ય સ્વામીનું મંદિર છે.
વળી એક ઈલેરાના શેઠ માનચંદ વીરચંદ બંધાવેલું શ્રી અજિતનાથ ભગવાનનું મંદિર છે.
બીજી બાજુ એક પૂનાવાળાનું બંધાવેલ શ્રી શાંતિનાથ ભગવાનનું મંદિર છે. - આ રંકમાં ૨૭૦ પાષાણુબિંબ છે. ધાતુના ૪૫૮ બિંબ છે અને દેરીએ ૧૩ છે.
શ્રી મોતીશાહ શેઠની ક-મેતીવસહી
બાલારસહીથી આગળ ચાલીએ એટલે મુંબઈના શેઠ મોતીચંદ અમીચંદની બંધાવેલી ટૂંક આવે છે.
*
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org