________________
[ ૭૪ ] હુંડી લખી આપી. લખાણ લખતાં લખતાં આંસુનાં બે ટપકાં હૂંડી ઉપર પડી ગયાં. હૂડી ગિરાસદારને આપી.
ગરાસદાર નામ પૂછતે અમદાવાદ સેમચંદશેઠને ત્યાં આવ્યું. શેઠ બહાર ગયા હતા. માણસોએ તેના ઉતારા વગેરેની સરભરા કરી. મુનીમે હૂંડી લીધી. વાંચીને સવચંદ શેઠનું ખાતું શોધવા લાગ્યા. પણ ખાતું મળ્યું નહીં. આથી ગરાસદારને કહ્યું કે-“શેઠ આવે ત્યારે આવજે.”
ગરાસદારને શંકા પડી. લાખ રૂપિયાની હુંડી હતી. બે કલાક ફરીને પાછા આવ્યું. હુંડી આપી. સોમચંદ શેઠ હાથમાં હુંડી લઈ તપાસવા લાગ્યા. ખાતાવહી તપાસરાવી, પણ મુનીમે કહ્યું કે તેમનું ખાતું નથી. ત્યારે સેમચંદશેઠની નજર હુંડી પર પડેલાં આંસુ ઉપર પડી. વળી હુંડીના અક્ષરે ધ્રુજતા હાથે લખાયેલા હોય એમ લાગ્યું. આથી શેઠ બધી વાત સમજી ગયા. શેઠે પિતાના ખાતે રકમ લખીને હૂંડીની રકમ ગરાસદારને આપી દીધી.
થોડા દિવસ પછી સેમચંદશેઠનું નામ લેતે કઈ મહેમાન આવ્યું. શેઠ અતિથિ ધારી પિતાના ઘરે લઈ ગયા. જોખમ ગાડીમાંથી પટારામાં મૂકાવ્યું. જમ્યા બાદ વાત નીકળતાં શેઠને કહ્યું કે –“તમારા રૂપિયા વ્યાજ સાથે લઈ ખાતું ચૂકતે કરે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org