________________
[ ૬૯ ] ૩. નરશી કેશવજીની ટૂંક અહીંથી પ્રવેશ કરતાં ખરતરવસહીમાં પિઠા એમ થાય. અહીં યાત્રાળુની જમણી બાજુએ શેઠ નરશી કેશવજીની ટૂંક આવે છે. તે વિ. સં. ૧૯૨૧ માં બંધાવેલી છે. તેની મધ્યમાં મુખ્ય મંદિર અને તેના ફરતી ૩૪ દેરીઓ છે. બીજી ૧૭ દેરીઓ છે. તેમાં પ્રતિમાજી નથી.
૪. સંપ્રતિ મહારાજાનું દેરાસર ડાબે હાથે સંપ્રતિ મહારાજાના નામે ઓળખાતું દેરાસર આવે છે. તે શાંતિનાથ ભગવાનનું દેરાસર છે. ગભારાનું બારશાખ કેતરણીવાળું પુરાણું આજે પણ છે. તે મને હર છે અને તેઓની પ્રાચીનતા જણાવે છે.
આ દેરાસરની ડાબી બાજુએ હમણું થડા વખત પહેલાં પેઢીએ બંધાવેલે એક વિશાળ કુંડ આવેલ છે. પાણીના પુરવઠાને પહોંચી વળવા તે ન બંધાવ્યું છે.
આગળ ચાલતાં જુદા જુદા દેરાસરે આવે છે. તેમાં બાબુ હરખચંદ ગુલેચ્છા મુશદાબાદવાળાનું બંધાવેલું એક દેરાસર છે.
વળી બાબુ પ્રતાપસિહ દુગડનું સં. ૧૮૯૩ માં બંધાવેલું સુમતિનાથ ભગવાનનું દેરાસર છે.
સં. ૧૯૮૧ માં બંધાયેલ સંભવનાથ ભગવાનનું દેરાસર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org