________________
મૂળ જૈન ધર્મ અને
માર્ગમાં પ્રવર્તન કરવાની પ્રેરણું કરનારૂં ઘણું ઉપયોગી સાધન છે. અને તેટલા માટે જ તીર્થસ્થળોની મહત્તા માનવામાં આવે છે.
' સૂત્રમાં નિશ્ચયનયથી તીર્થ શું અને યાત્રા શું તે બતાવ્યું છે, અને તે પ્રમાણે જ વેતાંબરો તેમજ દિગંબરે પણ માને છે, પરંતુ વ્યવહારનયથી તીર્થ શું અને યાત્રા શું તે સૂત્રમાં બતાવ્યું ન હોય તે પણ વ્યવહારને ઉવેખ નહિ એમ તો સુ કહે છે જ. તે ધર્મની બાબતમાં વ્યવહાર કેમ ઉવેખાય? અને એમ તે સૂત્રમાં બીજી પણ ઘણું બાબતનું વ્યવહાર નયથી સ્પષ્ટીકરણ કરેલ નથી. છતાં તેજ બાબતનું સ્પષ્ટીકરણ બીજા શાસ્ત્રીય ગ્રથોમાંથી લઈને તેને માનવામાં આવે છે જ. તે તીર્થને માનવામાં શો સૈદ્ધાંતિક વાંધો આવી ગયો ?
તીર્થની મહત્તા માનવામાં સૈદ્ધાંતિક રીતે શી વિરૂદ્ધતા આવે છે તે સ્થાનકવાસીઓએ બતાવવું જ જોઈએ. પણ બતાવ્યું નથી તેથી સ્થાનકવાસીઓની માન્યતામાં ધર્મ નથી પણ ફક્ત એકાંત આગ્રહ અથવા દુરાગ્રહ જ છે એમ સ્પષ્ટ રીતે સમજાય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org