SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ [૮] અસ્વીકાર કરે છે. પૂર્વાચાર્યનું વચન અસત્યના મિશ્રણવાળું હેય, ભગવાનની સર્વજ્ઞતાને બાધક હેય તેવું વચન તે સ્વીકારતો નથી. સર્વ પૂર્વાચાર્યો સંપ્રદાયવાદથી ઓતપ્રેત હતા, માટે સત્યાર્થી તેમના વચનમાં સંપ્રદાયવાદનું ઝેર હોય કે તેમનું વચન સંપ્રદાયના એકાંત આગ્રહવાળું હોય તેને સત્યાર્થી સંપૂર્ણ સત્ય તરીકે સ્વીકારતો નથી. પરંતુ પૂર્વાચાર્યનું જે કથન તીર્થકર ભગવાનની પ્રરૂપણને અનુસરતું હોય તેટલું જ સત્ય તરીકે સ્વીકારે છે. પૂર્વાચાર્યને સત્ય જ્ઞાન માટે તેમને માન આપવું અને તેમના જ્ઞાનમાં અસત્યપણુનું મિશ્રણ હેય તેને અસ્વીકાર કરવો તેને સત્યાર્થી ધર્મ માને છે અને અંધશ્રદ્ધાથી પૂર્વાચાર્યના સત્યાસત્ય મિશ્રિત સર્વ વચનેને સંપૂર્ણ સત્ય તરીકે માનવા તેને સત્યાર્થી મિથ્યાત્વ ગણે છે. સત્યાર્થીના મનમાં કોઈ પણ ખેતી વાત, ખોટી માન્યતા ધુસી ગઈ હેય તેની તેને ખબર પડે કે તરત જ તે ખોટી માન્યતાને કાઢી નાખે છે. સત્યાર્થી હમેશ નવું સત્ય જ્ઞાન મેળવવામાં જ ઉદ્યમવંત રહે છે. સંપ્રદાયવાદીના લક્ષણે પૂર્વાચાર્યો છઘસ્થ હેઈને તેમના વચનમાં સત્યાસત્યનું મિશ્રણ હોય તે સર્વને સંપ્રદાયવાદી પરમ સત્ય તરીકે સ્વીકારી લીએ છે. પૂર્વાચાર્યોના સત્યાસત્ય મિશ્રિત વચનોને સંપ્રદાયવાદી સર્વજ્ઞના જેવા જ માની તેનું બહુમાન કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005219
Book TitleMul Jain Dharm ane Hal na Sampradayo
Original Sutra AuthorN/A
AuthorNagindas Girdharlal Sheth
PublisherJain Siddhant Sabha Mumbai
Publication Year1962
Total Pages534
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy