SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ હાલના સંપ્રદા પ્ર. ૩ ૪૩ સૂત્ર વિચછેદ કહેવાનું ખરું કારણ જો કે દિગંબરે કહે છે કે સૂત્રો વીર સં. ૬૮૩માંજ વિચ્છેદ ગયા હતા પણ તે વાત ખરી છે તે ઉપર બતાવાઈ ગયું છે. સૂત્રે વિચ્છેદ ગયાની વાત તેમણે ઘણું વખત પાછળથી કરી હતી. તેનું કારણ એ હતું કે શરૂઆતમાં તો ફક્ત નવને જ મતભેદ હતો. અને આચારાંગ સૂત્રમાં નગ્નત્ત્વનું પ્રતિપાદન હતું જ તેથી તેમને સ વિચ્છેદ ગયા એમ કહેવાની જરૂર જ નહતી. નગ્નત્ત્વને વળગી રહેવા છતાં તે વખતે દિગંબરે અપવાદ તરીકે વસ્ત્રાપાત્રની જરૂરીયાત પણ સ્વીકારતા હતા. કે જે પ્રમાણે ભગવતી આરાધનામાં પ્રતિપાદન કરેલું છે અને આચારંગ. સૂત્રમાં પણ તે જ પ્રમાણે છે તેથી દિગંબર છૂટા પડ્યા છતાં વેતાંબર સૂત્રને માન્ય ગણતા હતા. પરંતુ શ્રી કુંદકુંદાચાર્યે દિગંબર માન્યતાને નવું સ્વરૂપ આપ્યું. તેમણે અપવાદ માર્ગનો ઇન્કાર ડર્યો અને નગ્નત્વનું એકાંત આગ્રહથી પ્રતિપાદન કર્યું. તેથી અનેક નવી સમસ્યાઓ ઉત્પન્ન થઈ. જેવી કે—કવળાહાર, સ્ત્રી મુકિત. સ્ત્રીદીક્ષા વગેરે. તે વખત સુધી દિગંબર લેખકોની એ વિષયમાં શ્વેતાંબરોના જેવી જ માન્યતા હતી. પણ શ્રી કુંદકુંદાચાર્યો આગ્રહ પૂર્વકની જે નવી માન્યતાઓ શરૂ કરી તેના પરિણામે તેમને વે. સૂત્રોને અમાન્ય કરવાની ફરજ પડી. પણ લગભગ ચાર વર્ષ પછી અમાન્ય કરવા તે અયોગ્ય કહેવાય એટલે ચારસો વર્ષ પહેલાંથી જ વિચ્છેદ ગયા છે એમ જાહેર કર્યું. એ કારણથી જ કુંદકુંદાચાર્યની પૂર્વના દિગંબર આચાર્યોના પ્રથ કરતાં પણ શ્રી કુંદકુંદાચાર્યના ગ્રથને પરમાગમ કહી પ્રધાનપદ આપવામાં આવ્યું. ત્યારે હવે પ્રશ્ન એ રહે છે કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005219
Book TitleMul Jain Dharm ane Hal na Sampradayo
Original Sutra AuthorN/A
AuthorNagindas Girdharlal Sheth
PublisherJain Siddhant Sabha Mumbai
Publication Year1962
Total Pages534
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy