________________
હાલના સંપ્રદાયે પ્ર. ૨૬
४६७
ઈચડે છે, વહાણ છોડીને બે હાથે અગાધ સમુદ્રને તરવાને ઈચછે છે તથા બીજ વાવ્યા વિના જ ક્ષેત્રમાં ઉત્પત્તિ કરવાને ઈચછે છે.
પ્રશ્ન ૧૦–નિરંજન નિરાકારની મતિ કેવી રીતે બની શકે ?
ઉત્તરે–તમામ મતના દેવ તથા શાસ્ત્રોના રચનાર નિરાકાર નથી થયા પણ સાકાર જ થયા છે. દેહધારી સિવાય કોઈથી શાસ્ત્રો રચી શકાય જ નહિ. તમામ શાસ્ત્રો અક્ષરસ્વરૂપ છે. અક્ષરનો સમૂહ તાલુ, ઓષ્ઠ, દંત વગેરે સ્થાનોથી ઉત્પન્ન થાય છે. અને તે સ્થાને દેહધારી જ હોય છે. તેથી તે દરેકની મૂર્તિ અવશ્ય હોઈ શકે છે.
મેક્ષમાં ગયા પછી તેઓ અવશ્ય નિરાકાર હોય છે તે પણ તેમને ઓળખાવવા માટે પણ મૂતિની આવશ્યકતા રહે છે. જેમ કે – શાસ્ત્રના રચનારા દેહધારીઓના મુખથી નીકળેલ અક્ષરને સમૂહ ખાસ કોઈ આકારનો હેતો નથી. છતાં તેને આકાર ક૯પીને શાસ્ત્રનાં પાનાંઓ ઉપર દાખલ કરવામાં આવ્યો છે અને તો જ તેને બંધ થાય છે.
તેમ નિરાકાર એવા સિદ્ધ ભગવાનને આકાર પણ આ દુનિયામાં તેમને જે છેલ્લો ભવ થયો તે મુજબ કલ્પી, મૂર્તિમાં ઉતારવામાં આવે છે. તથા નિરાકાર સિદ્ધ ભગવાનનું સ્વરૂપ પણ સમજી શકાય છે અને સાક્ષાત સિદ્ધની પેઠે તેનું ધ્યાન કરનારનાં સઘળાં ઈચ્છિતો પણ પૂર્ણ થાય છે.
એવો એક નિયમ છે કે કોઈ પણ નિરાકાર વસ્તુને ઓળખાવવી હોય તે તેને સાકાર બનાવીને જ ઓળખાવી શકાય છે. એ માટે પ્રસિદ્ધ દૃષ્ટાંત સર્વ પ્રકારની લિપિઓનું છે.
પિતાના મનને આશય બીજાને શબ્દો દ્વારા જ સ્પષ્ટપણે સમજાવી શકાય છે, અને એ શબ્દો જે વર્ણના બનેલા છે તે વર્ણને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org