SearchBrowseAboutContactDonate
Page Preview
Page 491
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ મૂળ જૈન ધર્મ અને તા તેનું આ કથન પણુ વગર વિચાર્યું જ છે. કારણ કે તેઓને પૂછવામાં આવે. કે—તમારી માનસિક મૂર્તિના રંગ કેવો છે? લાલ, કાળેા કે સફેદ? તે તે શું જવાબ આપશે? જો કહેશે કે—તેને રૂપ નથી, રંગ નથી કે વર્ણ નથી. માટે તેને કેવી રીતે બતાવી શકીએ? તે તેઓને કહેવાનું કે—જેના રૂપ, રંગ કે વહુ નથી તેનુ ધ્યાન કરવાની તમારી તાકાત પણ નથી. આ રીતે પ્રગટપણે મૂર્તિ માનવાની વાતમાંથી છટકવા માટે માનસિક મૂર્તિ માનવા જતાં અંતે ધ્યાનરહિત દશા આવીને ઉભી રહે છે. જો મૂતિ વગર ધ્યાન અનતું જ નથી તે। પછી તેને પ્રગટ પણે માનવામાં હરકત શું છે? માનસિક મૂર્તિ અદૃશ્ય અને અસ્થિર છે ત્યારે પ્રગટ મૂર્તિ દૃશ્ય અને સ્થિર છે તેથી ધ્યાનાદિ માટે અત્યંત અનુકૂળ છે. વળી ભગવાન શ્રી તીર્થંકર દેવના સમવસરણમાં પણ ભગવાન પૂર્વાભિમુખે બેસે છે અને બાકીની ત્રણ બાજુ ભગવાનની ત્રણ મૂર્તિ એનું દેવતાએ સ્થાપન કરે છે. એમ શ્રી સમવસરણ પ્રકરણ, શ્રી સમવાયાંગ સૂત્ર ટીકા. શ્રી તત્વાર્થ સૂત્ર ટીકા વગેરે પ્રાચીન ગ્રંથા સાક્ષી પૂરે છે. કેટલાક કહે છે કે—ભગવાનના અતિશયથી ચાર મુખ દેખાય છે પણ ત્રણ તરફ મૂર્તિ છે એમ નહિ. આ વાત પણ ખેાટી છે. કારણ કે કોઈ પણ શાસ્ત્રોમાં એ રીતે કહ્યું નથી. સમવસરણની રચનાથી પણ ચિત્તની એકાગ્રતાને માટે મૂર્તિની આવશ્યકતા સિદ્ધ થાય છે. ભગવાનની ભવ્ય મૂર્તિના દર્શનથી તેમના ગુણો આવતાં શ્રદ્ધાવાળા મનુષ્યને સાક્ષાત ભગવાન મળ્યા જેટલે આનંદ થાય છે. અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005219
Book TitleMul Jain Dharm ane Hal na Sampradayo
Original Sutra AuthorN/A
AuthorNagindas Girdharlal Sheth
PublisherJain Siddhant Sabha Mumbai
Publication Year1962
Total Pages534
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy