________________
૪૪૨
મૂળ જૈન ધર્મ અને
બનીને જ દર્શન કરતો રહ્યો છે. અને તેથી જ ઉપરની શંકાઓ ઉત્પન્ન થઈ હતી.
અભિપ્રાયને જરા ફેરવવાથી ક્રિયામાં મહાન અંતર પડી જાય છે. માટે અભિપ્રાયને ઠીક કરીને આગળ વધ. આવ અને જે આ પ્રતિમામાં જીવિત દેવ.
પ્રતિમા શું આપે છે? અરે ભેળા પ્રાણી! હજી પણ સમજ્યો નહિ કે પ્રતિમા શું દીએ છે ? એ પાષાણની મૂર્તિની દષ્ટિમાં કેટલું સામર્થ્ય છે! ભાવનાશૂન્ય હોવાથી તેને તે સામા કેમ આપે ? પક્ષપાતના ગહન અંધકારમાં તારી આંખ જોઈ શકતી નથી, તન્મય થઈને શાંતિના દર્શન કર તો જ સમજાશે કે પ્રતિમા શું આપે છે. કેટલું સામર્થ્ય છે એમાં !
ઠીક છે કે એ પિતાની રક્ષા સ્વયં કરી શકતી નથી કારણ કે તે જડ છે. પરંતુ તે મારી રક્ષા તો જરૂર કરી શકે છે. હાથ કંગનને આરસી શું ? ઉપરની રીતે દર્શન કરીને જોઈ લે. પોતે સ્વયં રક્ષા નથી કરતી તે તેમાં શું નવાઈ છે? જેની આ આકૃતિ છે એ જીવિત પ્રભુ પણ સ્વયં પિતાના શરીરની રક્ષા કરતા નહોતા. અનેક શકિતઓના અને ઋદ્ધિઓના ભંડાર હોવા છતાં, આ પૃથ્વીને એક આંગળી પર ઘુમાવવાની શકિત હોવા છતાં પણ પિતાના શરીરની રક્ષા નહોતા કરતા.
નિજ શાંતિની રક્ષા માટે જીવિત પ્રભુ હમેશ જાગૃત રહેતા અને આ તેમની પ્રતિમા પણ એમ જ નિજ શાંતિની રક્ષા કરી રહી છે.
પ્રભુ આ અંધકારમાં તને કેમ સૂઝે કે રક્ષા કેને કહેવાય છે? એક બાજુ તું કહી રહ્યો છું કે શરીર અને આત્મા ભિન્ન છે. બીજી બાજુ કહે છે કે શરીરની રક્ષા એ મારી રક્ષા છે. ભલા, તને તારી પિતાની જ વાત પર કયો વિશ્વાસ છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org