SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ ७६४ - મૂળ જૈન ધર્મ અને વળી ધર્મમાં ફોટા પાડવાને ધર્મને ઉદ્યોત ગણવામાં આવે છે તે એક જાતનું ઘોર અજ્ઞાન જ કહેવાય. લંકાશાહે અને કડુ આશાહે તે ધર્મસંઘથી છૂટા પડી ધર્મને હાનિ જ કરી છે. ધર્મમાં સુધારો કરી એકતા કરવામાં આવે તે જ તેને ધર્મનો ઉદ્યોત કહી શકાય, અથવા તે જનેતરને જૈનધર્મમાં લાવવામાં આવે છે તે પણ ઘર્મના ઉદ્યોતનું કાર્ય કહેવાય, પણ લોકાશાહે ધર્મના સાચા ઉદ્યોતનું એક પણ કાર્ય કર્યું નથી. લંકાશાહે ફક્ત ક્રોધથી, કેષથી સૂત્ર, ધર્મકિયા, દાન પૂજા વગેરેને બહિષ્કાર કર્યો હતો અને સ્થાનકવાસીઓએ સૂત્રના બેટા અર્થ કરી મૂર્તિને નિષેધ કર્યો છે એટલે તેમના કાર્યોમાં ધમ ઉદ્યોત તે છે જ નહિ પણ તે ધર્મની હાનિનું જ કાર્ય છે અને તે અસંયતિ પૂજા નામના અહેરામાં ગણાય, લેકશાહને ને મત કાઢવાનું કારણ લોંકાશાહની વાત લખનાર બધા પ્રાચીન લેખકે એક વાત તો સ્પષ્ટ રીતે બતાવે છે કે કાશાહને યતિઓ સાથે ઝઘડો થયો હતો. પણ તે ઝઘડે થવાનું કારણ જુદી જુદી રીતે બતાવે છે. તે કારણોની તપાસમાં નહિ પડતાં આપણે એટલું જ જાણી લઈએ કે લોંકાશાહને યતિ સાથે ઝઘડે થયો હતો. અને એ ઝગડાને લીધે તેમનું અપમાન કરી ઉપાશ્રયમાંથી કાઢી મૂકયા હતા. અપમાનથી લોકાશાહ ક્રોધે ભરાયા હોય તે સ્વાભાવિક છે. ઉપાશ્રયમાંથી નીકળી લોકાશાહ સામેની દુકાનમાં બેઠા હતા ત્યાં એક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005219
Book TitleMul Jain Dharm ane Hal na Sampradayo
Original Sutra AuthorN/A
AuthorNagindas Girdharlal Sheth
PublisherJain Siddhant Sabha Mumbai
Publication Year1962
Total Pages534
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy