SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૦ મૂળ જૈન ધર્મ અને પક્ષ છૂટા પડ્યા. સચેલક સાધુ શ્વેતાંબર કહેવાયા અને અચેલક સાધુ દિગંબર કહેવાયા. એમ છૂટા પડ્યા પછી શ્વેતાંબરેએ સચેલકત્વના બચાવ માટે ઉપર પ્રમાણે ખોટા બચાવો ઉત્પન્ન કર્યા ત્યારે દિગબરેએ સચેલકવના અપવાદને ભૂંસી નાખવા માટે સૂત્રોને અમાન્ય ઠરાવી પિતાની માન્યતાને પુષ્ટ કરનારા પિતાના નવા શાસ્ત્રો રચ્યા. બને પક્ષ વચ્ચેના એ ઘર્ષણે એક બીજા તરફ એટલે બધે ઠેષ જન્માવ્યો કે એકે સામાને તપટ કહ્યું ત્યારે તેણે પ્રત્યુત્તરમાં તેની સામેનાને દિકપટ કહ્ય! ગદ્વેષ જીતવા માટે સાધુપણું સ્વીકારેલ તેઓ જ રાગદ્વેષમાં ચકચૂર બની એકબીજાના કટ્ટર વિધી થઈ ગયા ! કેવી કાળની વિષમતા! હવે વેતાંબરના ઉપરના બચા ખોટા છે તે બતાવવા માટે તેને થડે વિચાર કરી લઈએ. ઉપરના નંબર પ્રમાણે જ અહીં નંબરવાર સમાધાન લખેલ છે. પહેલા બચાવને જવાબ (૧) અચલકને અર્થ જીણું વસ્ત્ર કે અલ્પ વસ્ત્ર જેવો થતે જ નથી એ વાત ઉપર ઉધત કરેલા આચારાંગ સૂત્રમાંના સૂત્રો તથા કલ્પસૂત્રના દશ કલ્પ વગેરે ઉપરથી નિઃશક રીતે સાબિત થાય છે. બીજા બચાવો જવાબ (૨) તીર્થકર ભગવાન નગ્ન ન દેખાય એવું તેમના કોઈ અતિશયમાં કહ્યું નથી તેમજ કોઈ અંગ સૂત્રમાં પણ તેવી વાત નથી. પરંતુ શ્વેતાંબરોએ પિતાની સચેલતાની માન્યતાને પુષ્ટ કરવા માટે આ વાત પણ ઉપજાવી કાઢેલી છે. દિગંબરોમાં આવી તાંબરો. જેવી માન્યતા નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005219
Book TitleMul Jain Dharm ane Hal na Sampradayo
Original Sutra AuthorN/A
AuthorNagindas Girdharlal Sheth
PublisherJain Siddhant Sabha Mumbai
Publication Year1962
Total Pages534
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy