SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપર. મૂળ જૈન ધર્મ અને કચબલિકમાં જસ્ટિમ્પ = ત વૃદ્ધિ કર્મ = બલિ કર્મ કર્યું અથવા કરીને, સુત્રોમાં જ્યાં જ્યાં જ્યબલિકમ્મા શબ્દ આવે છે ત્યાં ત્યાં આ પ્રમાણે પાઠ આવે છે – हाया कयबलिकम्मा कय कोउय मंगलपायच्छित्ता અર્થન્હાઈને, બલિકમ કરીને, કૌતુક અને મંગળરૂપ પ્રાયશ્ચિત કરીને. અહીંઆ મતભેદ કબલિકમ્મા શબ્દના અર્થ માટે છે સ્થાનકવાસીઓ કયબલિકમ્માને અર્થ મુખ્યત્વે આ પ્રમાણે કરે છે– બળવર્ધક પીઠી ચોળીને અને પછી ન્હાઈને, અને (૨) ગણિરૂપે અર્થ કરે છે કે–ગેત્રદેવી કુળદેવીનું પૂજન કરીને. શ્રીમદ્ રાજચંદ્ર જિનાગમ શાસ્ત્રમાળા તરફથી બહાર પડેલ. ભગવતીસૂત્રમાં પંડિત બેચરદાસે “ગેાત્રદેવીનું પૂજન કરીને” એવો અર્થ કર્યો છે. ત્યારે મૂર્તિપૂજક બલિકમ્માને અર્થ કરે છે કે – ગૃહદેવની પૂજા કરીને એટલે કે જિનપ્રતિમાની પૂજા કરીને. મૂળ પાઠમાં નહાવાનું પહેલાં અને બાલિકર્મ પછી કરવાનું છે એટલે નહાયા પછી પીઠી ચોળવાનું તો હોય નહિ, પીઠી ચોળ્યા પછી જ નહાઈ શકાય. એટલે સ્થાનકવાસીઓને “પીઠી ચોળવાને અર્થ તો તદન ખોટો જ છે. બલિનો અર્થ “દેવને પ્રસન્ન કરવાને અપાતો ભોગ” એવો અર્થ થાય છે, એટલે ક્યબલિકમ્માને સંબંધ દેવ સાથે છે એટલું તે ચોક્કસ સમજી શકાય છે. પણ તે દેવ એટલે કુળદેવ સમજવા કે જિનદેવ સમજવા તે નક્કી કરવાનું છે. બલિ કર્મ કરીને પછી કૌતુક અને મંગળરૂપ પ્રાયશ્ચિત કરીને” એમ સૂત્રના પાઠમાં છે. તે કૌતુક અને મંગળરૂપ પ્રાયશ્ચિત શું? એની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005219
Book TitleMul Jain Dharm ane Hal na Sampradayo
Original Sutra AuthorN/A
AuthorNagindas Girdharlal Sheth
PublisherJain Siddhant Sabha Mumbai
Publication Year1962
Total Pages534
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy