________________
૧૪૮
મૂળ જૈન ધર્મ અને
તાત્કાલિક સ્વર્ગ સુખના લાભની જ ઈચ્છા રહ્યા કરે છે. તેને પછી મેક્ષ માટેની કષ્ટપૂર્ણ સાધના તરફ કંટાળે જ આવે છે.
એટલે દ્રવ્ય પૂજાનું અનિષ્ટ પરિણામ એ આવે છે કે જૈન ધર્મની સાધનાને મૂળ હેતુ માર્યો જાય છે અને સ્વર્ગના પૌદ્ગલિક સુખમાં જ તેને આનંદ પૂર્ણ રીતે સમાઈ જાય છે.
મૂતિ પૂજકોએ મૂર્તિ અને મૂર્તિ પૂજાને એક જ વિષય બનાવી દઈને જે ગોટાળે કર્યો છે તેમાંથી હવે તેઓ છૂટી શકતા નથી. તેથી મૂર્તિ પૂજાને-દ્રવ્ય પૂજાને સિદ્ધાંત અનુસાર કરાવવા માટે વિચિત્ર દલીલો રજુ કરે છે. મુનિ શ્રી ભદ્રંકર વિજયજીએ “પ્રતિમા પૂજન” નામનું પુસ્તક લખેલ છે તે પુસ્તક બીજી રીતે સુંદર હોવા છતાં તેમાં મુનિશ્રીએ પૂજા માટે જે દલીલો કરી છે તે વિચિત્ર અને ધર્મ સિદ્ધાંતને ઊલટારૂપમાં બતાવનારી છે. જેમકે– દલીલ ૧૦ (પ્રતિમા પૂજન પૃષ્ટ ૮)માં મુનિશ્રી લખે છે કે–
ઉપાસ્યના આકારની ભક્તિ માટે જે હિંસા કરે છે તે હિંસા વ્યક્તિ-નિમિત્તક નથી. કિંતુ ઉપાસકના સ્વાભાવિક હિંસક જીવનને જ આભારી છે.
મુનિશ્રીની દલીલ વિચિત્ર છે. ઉપાસક હિંસક સ્વભાવને હેય અથવા તેનું જીવન હિંસામય હેય તેથી તેને હિંસામય પૂજા કરવાને પણ અધિકાર છે અને તેથી તેની હિંસા ભકિતને કારણે નથી એમ કહેવું તે અસત્યને સત્ય તરીકે ઠરાવવા જેવું છે.
દલીલ ૨, (પ્રતિમા પૂજન પૃષ્ટ ૮)માં મુનિશ્રી લખે છે કે - ત્રસ જીવ નિકાયની હિંસાથી પણ સર્વથા નહિ વિરમેલા આત્માઓ, તે હિંસાથી વિરમવા માટે ત્રસની અપેક્ષાએ
અતિ અલ્પ હિંસા જેમાં રહેલી છે એવા પદાર્થો વડે ઉપાસ્યની ભક્તિ કરે તથા સર્વ જીવ નિકાયના વધથી વિરામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org