SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ હાલના સંપ્રદાયે પ્ર. ૭ ૮૪ મૂર્તિઓને તેઓ માનતા નથી! શાશ્વતી મૂર્તિ માનવાથી ધર્મ વિરુદ્ધતા આવતી નથી તે કૃત્રિમ મૂર્તિ માનવાથી પણ ધર્મ વિરુદ્ધતા આવી ન શકે એ તો એક સામાન્ય બુદ્ધિની સમજની વાત છે. દેવલોકની મૂર્તિ માનવી અને મનુષ્યલોકની મૂર્તિને ન માનવી તેનો અર્થ એ થાય કે એક સમકિતી સ્થા, શ્રાવક મૃત્યુ પામી દેવલોકમાં ઉપજ્યા પછી તે જ જીવ મૂર્તિને માનતો થઈ જાય! શુદ્ધ ધર્મમાં આવી બેવડી માન્યતા હેઈ જ ન શકે. જે જીવ મનુષ્યલોકમાં અને દેવલોકમાં વારાફરતી ઉત્પન્ન થાય ત્યારે તે વારાફરતી તેની માન્યતા ફેરવત રહે તે સમકિતી જ ન કહી શકાય અથવા તેને સાચા ધર્મ જ કહી ન શકાય, કારણકે સાચા ધમી સમકિતી તેની માન્યતામાં ફેરબદલી ન કરે, આ ઉપરથી સમજી શકાશે કે જે લોકે દેવેલેકની મૂર્તિને માનતા હોય તેમણે મનુષ્ય લેકમાં પણ મૂર્તિને માનવી જ જોઈએ, એમ ન કરે તે તેને સાચા શુદ્ધ ધર્મને અનુસરતા નથી એમ ચોક્કસપણે કહી શકાય. - મૂર્તિને માનવી ને પૂજવી તે દેવદેવીઓને છત વ્યવહાર છે એમ કહેવું તે પણ બેઠું છે કારણ કે દેવે મૂર્તિપૂજા વ્યવહાર તરીકે નથી કરતા પણ ધર્મ માટે કરે છે એમ તે સૂત્રોમાં સ્પષ્ટ ઉલ્લેખ છે જ. અને તે આગળ ઉપર બતાવાશે. મૃતિ એ વ્યવહાર ધર્મ છે મૂર્તિ અને મૂર્તિ પૂજા એ વ્યવહાર ધર્મના વિષ છે એ ધ્યાનમાં રાખવું. એટલે અહીં જે વિચારણું થાય છે તે વ્યવહારને અનુસરીને જ કરવામાં આવે છે. - જ્યાં પાપ છે અથવા જ્યાં મિથ્યાત્વ છે ત્યાં ધર્મ નથી. તો જ્યાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005219
Book TitleMul Jain Dharm ane Hal na Sampradayo
Original Sutra AuthorN/A
AuthorNagindas Girdharlal Sheth
PublisherJain Siddhant Sabha Mumbai
Publication Year1962
Total Pages534
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy