________________
આઠ • • •
માણસને બદલવાની અધ્યાત્મ એક મહત્ત્વની પ્રક્રિયા આપી છે. આ પ્રક્રિયાનાં અનેક સોપાન છે. પહેલું સોપાન છે, કાયોત્સર્ગ. કાયોત્સર્ગ એટલે શરીરનું શિથિલીકરણ. તેનાથી જૂની ટેવોમાં પરિવર્તન આવે છે, એ ટેવોમાં સુધારો થાય છે. કાયોત્સર્ગનું સંકલ્પ સૂત્ર છે : “
તસ્સ ઉત્તરીકરણેણં પાયત્તિકરણેણં, વિસોહી કરણેણં વિસલ્લીકરણેણં પાવાણું કમ્માણ નિઘાયણઠાએ હામિ કાઉસ્સગ્ગ.
સાધક સંકલ્પની ભાષામાં કહે છે : જે ટેવ કે સ્વભાવ પ્રિય નથી તેને સુંદર કરવા માટે, તેને ઉદાત્ત કરવા માટે, પ્રાયશ્ચિત્ત કરવા માટે, વિશેષ શુદ્ધિ માટે, મનને નિર્મળ બનાવવા માટે, વ્યસન કે ટેવોનો જે ઘા થઈ ગયો છે તે ઘાને પૂરી દેવા માટે, એ શલ્યને મિટાવવા માટે, એ ખરાબ ટેવોથી મૂચ્છ અને કર્મના જે પરમાણુઓ શરીર અને મન પર ચોતરફ વીંટળાઈ વળ્યા છે એ પાપકારી પરમાણુઓને ઉખેડીને ફેંકી દેવા માટે હું કાયોત્સર્ગ કરું છું.’
કાયોત્સર્ગ તમામ દુ:ખોથી મુક્તિ અપાવનાર છે, સ્વભાવોને બદલનાર છે. કાયોત્સર્ગની પ્રક્રિયા નથી જાણતો તે સ્વભાવને બદલી નથી શકતો.
સેફ હિપ્નોટિઝમના વિશેષજ્ઞોએ ચાર સૂત્ર આપ્યાં છે. આ પદ્ધતિનું પ્રથમ સૂત્ર છે: ઑટો-રિલેકસેશન. અર્થાત્ સ્વ-શિથિલીકરણ. કાયોત્સર્ગની જ આ પ્રક્રિયા છે. કાયોત્સર્ગ કર્યા વિના સ્વભાવ-પરિવર્તનની પ્રક્રિયા સફળ નથી થતી. સ્વભાવને બદલવું હોય કે પછી કોઈ રોગની સારવાર કરવી હોય તો સર્વ પ્રથમ કાયોત્સર્ગ કરવો પડશે.આ પહેલું સૂત્ર છે.
સ્વભાવ-પરિવર્તનનું બીજું સૂત્ર છે : સેલ્ફ-એનેલિસિસ, અર્થાત્ અનુપ્રેક્ષા. જેને આપણે બદલવા ઇચ્છીએ છીએ, જે ટેવોમાં પરિવર્તન કરવા ચાહીએ છીએ, તેનું વિશ્લેષણ કરવું પડે છે. તેની અનુપ્રેક્ષા કરવી પડે છે. આ માટે આત્મનિરીક્ષણ અને આત્મવિશ્લેષણ કરવાં પડશે.
સેલફ-ઍનલિસિસ હિપ્નોટિઝમનું બીજું સૂત્ર છે. કાયોત્સર્ગની પદ્ધતિનું બીજું સૂત્ર છે: અનુપ્રેક્ષા. બંને સમાંતર રેખાઓ પર ચાલે છે. હું જો કોઈને છોડવા ઇચ્છતો હોઉં તો સર્વ પ્રથમ મારે મારું આત્મવિશ્લેષણ કરવું પડશે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org