________________
૭૪ આભામંડળ મહાપ્રાણ ધ્યાનની સાધના કરી હતી. જે મહાપ્રાણ-ધ્યાનમાં જાય છે, મહાપ્રાણધ્યાનની સાધના કરે છે, તે સંપૂર્ણપણે સંસારથી અલગ થઈ જાય છે. સંસારથી તેનો કોઈ સંપર્ક નથી રહેતો. બધા જ બાહ્ય-સંબંધ તૂટી જાય છે. સાધક ગહનઊંડી સમાધિની અવસ્થામાં ચાલ્યો જાય છે. સંયોગવશ સાધકને સમયથી અગાઉ જગાડવો પડે તો તેનો એકમાત્ર ઉપાય છે, પગના અંગૂઠાને દબાવવો.
આચાર્ય પુષ્યમિત્ર મહાપ્રાણ ધ્યાનની સાધનામાં બેઠા. એક શિષ્ય તેમની સારસંભાળ માટે નીમવામાં આવ્યો હતો. થોડા દિવસ ગયા. કોઈને ખબર ન હતી કે આચાર્ય વિશિષ્ટ સાધનામાં સંલગ્ન છે. ઊહાપોહ થયો. કેટલાક શિષ્યોને લાગ્યું કે પેલા શિષ્ય આચાર્યને મારી નાખ્યા. ઊહાપોહ વધ્યો. વાત રાજા સુધી પહોંચી. રાજા આવ્યો. તેણે ઉત્તર સાધકની પૂછપરછ કરી. તેણે કહ્યું : “આચાર્ય વિશિષ્ટ સાધનામાં સંલગ્ન છે. સાધનાનો સમય હજી પૂરો નથી થયો!' રાજા બોલ્યો, “મારે હમણાં જ આચાર્યને મળવું છે. જરૂરી કામ છે ઉત્તર સાધક અંદર ગયો. આચાર્યના પગના અંગૂઠાને દબાવ્યો. આચાર્ય જાગી ગયા. તેમણે પૂછયું : “કસમયે મને કેમ ઉઠાડયો?” ઉત્તર સાધકે કહ્યું: “બધું બન્યું જ એવું કે મારા માટે કોઈ વિકલ્પ ન રહ્યો.
પ્રશ્ન થઈ શકે છે અંગૂઠા અને ધ્યાન વચ્ચે શું સંબંધ હોઈ શકે? દર્શનકેન્દ્ર અને જ્યોતિ-કેન્દ્રમાં ઊંડાણમાં જવાથી આપણામાં સમાધિ આવે છે. અંગૂઠામાં આ બંને કેન્દ્રો છે. આ સુંદર સ્થાન છે. સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીરનું એ સંગમ-બિન્દુ છે. તે ઈડા અને પિંગલાનું સંગમ-સ્થળ છે. જે માણસ ત્યાં પહોંચી જાય છે તેને સમાધિ સિદ્ધ થાય છે. સાધક મહાપ્રાણની સ્થિતિમાં ચાલ્યો જાય છે. આ કેન્દ્રને આપણે જાગ્રત કરવાનું છે.
હાથ અને પગ ઘણાં જ મહત્ત્વનાં કેન્દ્ર છે. પગને નકામા ન ગણો. આપણે જ્યારે જમીન પર ચાલીએ છીએ ત્યારે એડી વિદ્યુત ગ્રહણ કરીને સમગ્ર શરીરને પહોંચાડે છે. કેટલું મહત્ત્વનું આ કામ છે!
જ્યારે હાથનો સંયમ, હાથનું શિથિલીકરણ, જ્યારે પગનો સંયમ, પગનું શિથિલીકરણ, જ્યારે વાણીનો સંયમ – વાણીનું શિથિલીકરણ થાય છે ત્યારે ઇન્દ્રિયોની તાણ તનાવ ઓછી થાય છે. તેમાં ઊઠનારી આકાંક્ષાઓના તરંગો ઓછા થાય છે. આ બધું બને છે ત્યારે અધ્યાત્મ-રમણ કે અધ્યાત્મની યાત્રા શરૂ થાય છે. અધ્યાત્મની યાત્રા શરૂ થાય છે ત્યારે આત્મા સમાધિમાં ચાલ્યો જાય છે.
નિષ્કર્ષની ભાષામાં કહી શકાય કે અધ્યાત્મની યાત્રા શરૂ કરવા માટે, ટેવોને બદલવા માટે સૌથી પ્રથમ શરત છે – કાયોત્સર્ગ. જ્યાં સુધી આપણે કાયોત્સર્ગ કરવાનું નથી શીખી લેતા ત્યાં સુધી આ બધું નથી બનતું.
ભાવના-યોગની પ્રાથમિક ચર્ચા મેં કરી છે. તેની વિસ્તૃત ચર્ચા આગળ સમયે કરીશું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org