________________
આત્મ-નિયંત્રણથી આગળ આત્મશુદ્ધિની ચર્ચાવિચારણા થાય છે.
આત્મશુદ્ધિ થયા વિના આત્મ-નિયંત્રણનું કામ પૂરું નથી થતું. આત્મનિયંત્રણની પોતાની એક સીમા – મર્યાદા છે. આત્માને બદલવા માટે, સ્વભાવને બદલવા માટે, વ્યક્તિત્વના પૂરા રૂપને બદલવા માટે આત્મશુદ્ધિ જરૂરી છે. એ ન માત્ર દિશાનેરાગ છે, ન માર્ગોનિકરણ. એ તો છે સંપૂર્ણ રૂપાન્તરીકરણ. મનોવિજ્ઞાનનું માર્ગોનીકરણ એક મૌલિક વૃત્તિના માર્ગને બદલવાની પ્રક્રિયા છે, તેને બીજી દિશામાં લઈ જવાની પદ્ધતિ છે. એક માણસમાં કામની મનોવૃત્તિ છે. આ વૃત્તિ જ્યારે ઉદાત્ત બને છે ત્યારે તે કલા, સૌન્દર્ય આદિ અનેક વિશિષ્ટ અભિવ્યક્તિઓમાં બદલાય છે. આત્મશુદ્ધિમાં દિશાન્તર નથી થતું, પરંતુ તેમાં સ્વભાવ જડમૂળથી બદલાઈ જાય છે. સ્વભાવ સર્વથા ચાલ્યો જાય છે અને એ વૃત્તિ બદલાઈ જાય છે. તેના તીવ્ર વિપાકો, ગાઢ અનુભવોને એટલા મંદ અને મોળા કરી દેવામાં આવે છે કે એ આદત કે સ્વભાવ કોઈ જ અડ્યાણ ઊભી ન કરી શકે.
પ્રશ્ન એ છે કે આત્મશુદ્ધિની પ્રક્રિયા શું છે અને તેનાં કયાં કયાં સૂત્ર છે? અધ્યાત્મના સાધકોએ, આત્મદ્રષ્ટાઓએ આ દિશામાં ઘણી મહત્ત્વપૂર્ણ શોધો કરી છે અને આપણું સૌભાગ્ય છે કે તેમની એ શોધો આજે પણ આપણી પાસે સુરક્ષિત છે.
માણસને જેટલી ટેવો પડે છે તે બધાનું ઉદ્ભવ-સ્થળ છે ગ્રથિતંત્ર. આપણા શરીરના બે મુખ્ય ભાગ છે : એક નાડી-તંત્ર, બીજું ગ્રથિ-તંત્ર. નાડીતંત્રમાં આપણી તમામ વૃત્તિઓ અભિવ્યક્ત થાય છે, અનુભવમાં આવે છે અને પછી વ્યવહારમાં ઊતરે છે. પરંતુ ટેવોનો જન્મ, ટેવોની ઉત્પત્તિ ગ્રન્થિતંત્રમાં થાય છે. આપણી જે અંત:સ્ત્રાવી ગ્રન્થિઓ છે તેમાં ટેવો જમે છે. એ જ ટેવો મગજ સુધી પહોંચે છે, અભિવ્યક્ત થાય છે અને વ્યવહારમાં ઊતરે છે. આથી વિજ્ઞાનના ક્ષેત્રે એક નવો શબ્દ ન્યુરો એન્ડોક્રાઇન સિસ્ટમ પ્રચલિત થયો છે. આનો અર્થ છે: ગ્રન્થિ-તંત્ર અને નાડીતંત્રનું સંયુક્ત કાર્ય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org