SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ આભામંડળ લાગવાથી મરી પણ જાઉં તો તેમાં ડરવાની શી જરૂર છે? મર્યા બાદ ડર કેવા? અને બીક કેવી? આથી ભાઈ! હું તો અત્યારથી કલ્પના કરીને ભયથી ડરી જવા નથી માગતો.” સાચે જ બનાવનું દુ:ખ નથી થતું. બનાવ બની જાય છે, બનાવ આપણને બેચેન નથી કરતો. બેચેન બનાવે છે દુઃખની કલ્પના. આપણે કાલ્પનિક બનાવો દ્વારા પોતાને માટે દુ:ખોની જાળવણીએ છીએ અને તેમાં સતત ફસાતા જઈએ છીએ. બનાવ નથી બેચેન કરતો. બેચેન બનાવે છે બનાવનું સંવેદન. સતાવે છે કલ્પનાનું દુ:ખ. ધ્યાન કરનાર માણસ બનાવથી પોતાના સંવેદનને કાપી નાખે છે. એ બનાવથી બંધાયેલો નથી રહેતો. તમે એમ ન માની લેશો કે ધ્યાન કરનારમાં એટલી શક્તિ આવી જાય છે કે તે બનાવોને રોકી દે છે. આજ સુધી એવું થયું નથી અને એવું ક્યારેય, કદી, કયાંય નહિ થાય. બનનાર બનાવને રોકી નથી શકાતો. બનાવથી ઉત્પન્ન થતા સંવેદનને રોકી શકાય છે. એવું ક્યારેય નથી થતું કે ધ્યાન કરનારમાં એવી શક્તિ આવી જાય અને જગતમાં અનેક વર્ષોથી બનતા બનાવોને અટકાવી દે અને એ એવો ભગવાન બની જાય કે જેના ઈશારા પર બનાવો બને, ન બને. આવું કદી શક્ય નથી. ધ્યાનનું આ પરિણામ હોય છે કે જે બનાવો બને છે તેની સાથે ધ્યાનસાધકની કલ્પના નથી જોડાતી. સંવેદન સંકળાતું નથી. બનાવ પોતાના સ્થાને બને છે અને ધ્યાન-સાધક પોતાના સ્થાને સ્થિર હોય છે. ન બનાવી તેને અડકી શકે છે, ન તેનું મન બનાવને સ્પર્શે છે. ધ્યાનનું કામ છે, વિઘટન કરવું, તોડવું. બનાવથી મનને તોડી નાખવું. જે જોડાયેલું રહે છે તેને છૂટું પાડી દેવું. પછી બનાવ પોતાના સ્થાને રહે અને મને પોતાના સ્થાને. વ્યવહાર કેવી રીતે તૂટશે? વ્યવહાર તૂટે છે કલ્પનાઓને લીધે, શંકાઓ અને સંવેદનાઓને લીધે. પાંચ-દસ માણસનું એક કુટુંબ છે. બધાની રૂચિ એકસરખી નથી હોતી. બધાના વિચાર એકસરખા નથી હોતા. વિવિધ રૂચિ, વિવિધ વિચાર અને વિવિધ રસ. રસ-રૂચિની ભિન્નતાને કારણે એક નાનો બનાવ બને છે. તાણ (તળાવ) – તંગદિલી પેદા થાય છે. નાની વાત મોટી બની જાય છે. રાઈનો પર્વત થઈ જાય છે. બનાવ મોટો નથી હોતો. હું તો માનું છું કે મોટા બનાવે આજ સુધી દુનિયાને લડાવી નથી. જે મહાયુદ્ધ થયાં તે નાના સરખી વાત પર થયાં છે. મહાયુદ્ધ માટે મોટી વાત નથી હોતી. ચક્રવર્તી ભરતે કહ્યું: ‘બાહુબલીએ મારી આજ્ઞા માનવી પડશે.” બાહબલીએ કહ્યું : “બાહુબલી કોઈની આજ્ઞા નથી માનતો. બંને વચ્ચે ખેંચતાણ શરૂ થઈ ગઈ. બાહુબલી આશા ન સ્વીકારે તો ભારતનું શું જવાનું હતું? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005218
Book TitleAbhamandal
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1987
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy