SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ લેશ્યા : એક પ્રેરણા છે જાગરણની ૧૯૩ સ્પર્શ નથી કરતો. નિશ્ચયની ભૂમિકા અલગ છે અને વ્યવહારની ભૂમિકા પણ અલગ છે. આપણે સૌ વ્યવહારથી જોડાયેલા જીવી રહ્યા છીએ. શરીર છે ત્યાં સુધી વ્યવહારને તોડી નહિ શકાય. શરીરમાં રહેતાં જે વ્યવહારાતીત બનવાની વાત કરે છે, વિચારે છે તે ભ્રમમાં છે. એમ કહી, વિચારી એ ખુદ પોતાને ધોખો આપે છે અને બીજાને પણ ધોખામાં નાખે છે. શરીર રહે છે ત્યાં સુધી વ્યવહાર છોડી નથી શકાતા. શરીર છૂટતાં વ્યવહાર આપોઆપ છૂટી જશે. શરીર છે, શરીરને ચલાવવાનું છે, જીવન-યાત્રા ચલાવવાની છે તો સાથોસાથ વ્યવહારને પણ ચલાવવો પડશે. હું માનું છું કે ભાવ-શુદ્ધિની સાધના કરનાર માણસના વ્યવહાર તૂટતા નથી પણ એ વાસ્તવિક બની જાય છે. વ્યવહાર વિઘટિત નથી થતા, એ સફળ થાય છે. આને સમજવા માટે ઊંડાણમાં વિચારવું પડશે. એક છે ઘટના, અને બીજી છે કલ્પના. માણસ જીવનમાં કયારેક સુખનો અનુભવ કરે છે, કયારેક દુ:ખનો અનુભવ કરે છે તો કયારેક અપ્રિયતાનો અનુભવ કરે છે. કયારેક અનુકૂળતા અનુભવે છે, તો કયારેક પ્રતિકૂળતા. આપણી સમક્ષ પ્રસંગ—ઘટના-બનાવ એટલો મોટો નથી હોતો, જેટલી મોટી હોય છે સંવેદના અને કલ્પના. કેટલાક માણસ ખૂબ જ સંવેદનશીલ હોય છે. કલ્પનાશીલ હોય છે. નાના બનાવને પણ તેઓ મોટો બનાવી દે છે, રાઈનો પર્વત કરી દે છે. જે માણસે સંવેદન પર નિયંત્રણ મેળવી લીધું, જેણે પોતાની કલ્પનાઓ પર મેળવી લીધો તેના મનમાં એવી શક્તિ જાગે છે કે તે પર્વતને પણ રાઈ બનાવી દે છે. પહાડ જેવી મોટી ઘટનાને પણ તે રાઈ જેવી નાનકડી બનાવી શકે છે. ઘટના કયારેય મોટી નથી હોતી. મોટી હોય છે આપણી સંવેદના. મોટી હોય છે આપણી અનુભૂતિની પ્રક્રિયા. આને હું એક ઘટનાથી સમજાવું. કાબૂ ઘટના છે ઈંગ્લંડની. એક વખત ત્યાં લશ્કરમાં ફરજિયાત ભરતીની વિચારણા થઈ. જાહેરાત થવાની હતી કે દરેક નાગરિકે લશ્કરમાં ફરજિયાત ભરતી થવું પડશે. એક માણસ ચિંતામાં પડી ગયો. એક મોટા માણસ પાસે જઈને તેણે કહ્યું : શું તમને બીક નથી લાગતી? ફરજિયાત ભરતી થવાની જાહેરાત થવાની છે. હું તો આ સમાચાર જાણીને જ ગભરાઈ ગયો છું. મારું તો મગજ કામ નથી કરતું. શું તમને કોઈ જ ડર નથી લાગતો ?” પેલા માણસે કહ્યું : “બીક અને ડર શાનાં? હજી તો કોઈ જાહેરાત નથી થઈ. માનો કે જાહેરાત થઈ તો કોને ખબર કે તે મને સેનામાં ભરતી કરી દેશે? ભરતી કરી પણ દે તો કોને ખબર કે એ મને મોરચા પર જ મોકલશે ? માની લો કે મોરચા પર મોકલે તો દુશ્મનની ગોળી મને જ લાગશે અને તેનાથી હું મરી જ જઈશ, એની પણ કયાં ખબર છે? અને કદાચ ગોળી આ. ૧૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005218
Book TitleAbhamandal
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1987
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy