________________
શ્યા : એક વિધિ રસાયણ-પરિવર્તનની ૧૮૩ અત્તર કે સુગંધનો પ્રયોગ કરીએ છીએ. તેનાથી બહારની દુર્ગંધ સતાવતી નથી. પરંતુ આપણે આ અનુભવ તો કરીએ કે ભીતરના પરમાણુઓની કેટલી ને કેવી દુર્ગંધ છે. કૃષ્ણ-લેશ્યાનો રસ કડવી કાકડીના રસથીય કંઈક ગણો વધુ કડવો છે. તેનો સ્પર્શ કરવતથી કંઈ ગણો કર્કશ છે. આમ કૃષ્ણલેશ્યાના પરમાણુઓને આપણે ભીતર આભામંડળથી જોડીને બેઠા છીએ. આપણે ઊભા થઈએ છીએ તો એ આભામંડળ ઊભું થઈ જાય છે. આપણે સૂઈએ છીએ તો એ આભામંડળ સૂઈ જાય છે. ચાલીએ છીએ તો આભામંડળ ચાલવા લાગે છે. એ આપણો સાથ કયારેય નથી છોડતું. આ પ્રમાણે નીલ-લેશ્યાનું આભામંડળ પણ આપણો સાથ નથી છોડતું.
નીલ-લેશ્યાના આભામંડળમાં નીલ-લેશ્યાઓના પરમાણુઓનો રસ તીખો હોય છે. અને આ રસ ગજપીપરના રસથી અનંતગણો તીખો હોય છે.
કાપોત-લેશ્યાના આભામંડળમાં કાપોત-લેશ્યાના પરમાણુઓનો રસ કાચી કેરી અને કાચા કોઠાના રસથી પણ અનંતગણો ખાટો હોય છે.
આપણે ભીતર એવાં એવાં રસાયણો સંગ્રહીને બેઠા છીએ, છતાં પણ બહારથી ઊજળા રહેવાનો પ્રયત્ન કરીએ છીએ. પરંતુ ભીતરની નિર્મળતા વધુ મૂલ્યવાન હોય છે.
અમેરિકન વિજ્ઞાની મહિલા ડૉ. જે. સી. ટ્રસ્ટે સૂક્ષ્મ સંવેદનશીલ કૅમેરાથી આભામંડળની તસવીરો લીધી. તેણે કહ્યું કે, મેં જોયું કે જે લોકો બહારથી બનીઠનીને ઊજળા રહે છે પરંતુ ભીતર મલિનતા-ગંદવાડ રાખે છે તેમનાં આભામંડળ ખૂબ જ વિકૃત અને ગંદાં હોય છે. જે લોકો શરીરથી સાફ અને સ્વચ્છ નથી હોતા પણ ભીતર પવિત્ર છે તેમનાં આભામંડળ ખૂબ જ સ્વચ્છ અને નિર્મળ હોય છે.
આપણે આપણાં કપડાં અને શરીરની સ્વચ્છતા પ્રત્યે જેટલું ધ્યાન આપીએ છીએ તેટલું ધ્યાન પોતાની ભીતરથી પ્રકટ થતા આભામંડળ પર નથી આપતા. પોતાના ભાવો પર નથી આપતા. પરિણામ આ આવે છે કે બહારથી તો આપણે સ્વચ્છ અને સુંદર દેખાઈએ છીએ પરંતુ ભીતરમાં ગંદકીને જ જાળવીએ છીએ. આ ગંદકી આપણા મનને તોડે છે. મન પળે પળ ભાંગતું જાય છે. આવી હાલતમાં અશાંતિના સામ્રાજ્ય સિવાય બીજું શું થાય? લોક કહે છે કે દુનિયામાં આટલી બધી અશાંતિ અને અજંપો ?! પરંતુ આ અશાંતિ અને અજંપો થાય જ ને? આપણી ભીતરનાં બધાં જ રસાયણ મનને તોડનારાં છે પછી અશાંતિ ન થાય એ કેમ બની શકે?
લેશ્યા દ્વારા આપણે આપણાં રસાયણોને જાણી શકીએ છીએ. આ દિશામાં અનેક વૈજ્ઞાનિક પ્રયોગો થયા છે. પરસેવા દ્વારા જાણી શકાય છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org