________________
વેશ્યા: એક વિધિ સારવારની ૧૭૫ વૈદે કહ્યું: ‘દહીંમાં અનેક ગુણ છે. તેમાં ત્રણ ગુણ મુખ્ય છે. કફ કે ખાંસીની બીમારીમાં જો કોઈ દહીં ખાય છે તો તેને ત્રણ લાભ થાય છે. પહેલો લાભ એ થાય છે કે તે કદી બો નથી થતો. બીજે લાભ, તેના ઘરમાં કયારેય ચોરી નથી થતી. અને ત્રીજો લાભ એ થાય છે કે તેને કૂતરું કરડતું નથી.'
રોગીએ કહ્યું : “દહીં ખાવાની સાથે આ બધી વાતોનો શું સંબંધ છે?”
વૈદે કહ્યું: ‘ખાંસીમાં જે દહીં ખાય છે તે બુઢો એટલા માટે નથી થતો કે બુઢાપા પહેલાં જ તે મરી જાય છે. તેના ઘરમાં ચોરી એટલા માટે નથી થતી કે રાત-દિવસ તે ખાંસતો જાગતો રહે છે. તેને કૂતરું એટલા માટે નથી કરડતું કે લાકડીના ટેકા વિના તે ચાલી નથી શકતો. હાથમાં લાકડી હોય તો કૂતરો કેવી રીતે કરડે?
રોગીએ કહ્યું: “આમ વાત છે, તો હું દહીં નહીં ખાઉં.” અને તેણે દહીં ખાવાનું છોડી દીધું.
માણસનો સ્વભાવ કેવો છે! વૈદોએ દહીં ખાવાની મનાઈ કરી. તો દહીં ખાવાની તેણે જીદ પકડી રાખી. અને વૈદે દહીં ખાવાનું કહ્યું તો તે દહીં છોડવા તૈયાર થઈ ગયો. શબ્દ જ્યારે ભાવનો સ્પર્શ કરે છે ત્યારે યથાર્થ બને છે. શબ્દોની શક્તિનો ઠીક ઉપયોગ કરીએ, શબ્દોની યોગ્ય પસંદગી કરીએ તો " ભાવ-તંત્રમાં ઘણું મોટું પરિવર્તન થઈ શકે છે.
મંગળ ભાવના માટે અમે કેટલાંક સૂત્રો તૈયાર કર્યા છે. દરેક સાધક મંગળ ભાવના કરે. મંગળ ભાવનાનાં નવ સૂત્ર છે:
૧. શ્રીસંપનો હું સામ- હું શ્રીસંપન્ન બનું. ૨. બ્રીસંપન્નો હંસ્યામ-હું લજ્જાસંપન્ન બનું. ૩. ધીસંપન્નો હં સ્વામ- બુદ્ધિસંપન્ન બનું. ૪. ધૃતિસંપન્નો હં સામ- હું પૈર્યસંપન્ન બનું. ૫. શાંતિસંપનો હું સ્યામ-હું શાંતિસંપન્ન બનું. ૬. નન્દીસંપનો હું સ્યામ- હું આનંદસંપન્ન બનું. ૭. શક્તિસંપન્નો હં સ્વામ– હું શક્તિસંપન્ન બનું. ૮. તેજસંપન્નો હં સ્વામ- તેજસંપન્ન બનું. ૯. શુકલસંપન્નો હં સામ- હું પવિત્રતાસંપન્ન બનું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org